ગુજરાતટ્રેન્ડિંગ

અંકલેશ્વર: લખપતિ દીદી અભિયાન અંતર્ગત રૂ.42 લાખની સહાય અપાઈ

Text To Speech
  • વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મહિલાઓને સક્ષમ બનવા સંદેશ આપ્યો
  • 5 જેટલી સખી મંડળની બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા
  • મહાનુભાવોને હસ્તે સ્ટેજ ઉપરથી 42 લાખ રકમના ચેક વિતરણ કરાયા

અંકલેશ્વરમાં લખપતિ દીદી અભિયાન અંતર્ગત રૂ.42 લાખની સહાય અપાઈ છે. જેમાં અંકલેશ્વરમાં PMની વર્ચુઅલી ઉપસ્થિતિમાં5 સખી મંડળની બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા છે. મહાનુભાવોને હસ્તે સ્ટેજ ઉપરથી 42 લાખ રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાત: પંચમહાલ જિલ્લાના ત્રણેય જળાશયમાં નવા નીરની આવક 

વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મહિલાઓને સક્ષમ બનવા સંદેશ આપ્યો

ગ્રામીણ મહિલાઓને સ્વ સહાય જૂથના માધ્યમથી આત્મનિર્ભર અને લખપતી બનાવવાના ઉદ્દેશ્યથી કાર્યરત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનક અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન હોલ, અંકલેશ્વર ખાતે લખપત દીદી કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા લખપતી દીદી કાર્યક્રમમાં, ભરૂચ જિલ્લામાં કાર્યરત સ્વ સહાય જૂથોની મહિલાઓને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલગાંવથી સમસ્ત મહિલાઓને વર્ચ્યુઅલી સંબોધન કરીને નારીશક્તિને બિરદાવતા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મહિલાઓને સક્ષમ બનવા સંદેશ આપ્યો હતો.

5 જેટલી સખી મંડળની બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા

લખપતી દીદી અભિયાન અંતર્ગત સફ્ળતા મેળવનાર 5 જેટલી સખી મંડળની બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. મહાનુભાવોને હસ્તે સ્ટેજ ઉપર થી 42 લાખ રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. સ્વસહાય જૂથોને રીવોલ્વીંગ ફ્ંડ, સ્વસહાય જૂથોને સ્ટાર્ટઅપ ફ્ંડ, ગ્રામ સંગઠનને સ્ટાર્ટઅપ ફ્ંડ અને કલસ્ટર લેવલ ફેડરેશનને સ્ટાર્ટઅપ ફ્ંડ તથા કલસ્ટર લેવલ ફેડરેશનને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફ્ંડ ફળવણીના વગેરે મળી 2 કરોડ 12 લાખ સહાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ,રમેશ મિસ્ત્ર્રી,જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ,અંકલેશ્વર નગરપાલીકા પ્રમુખ અને અંકલેશ્વર તાલુકા પ્રમુખ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button