કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

અમરેલીનાં નિર્દયી દાદી: દોઢ વર્ષના પૌત્રને રડતો બંધ કરવા એને બચકાં ભર્યાં અને…

અમરેલી, ૫ સપ્ટેમ્બરઃ કહેવાય છે કે દાદા-દાદીને તેમની મૂડી કરતાં પણ તેનું વ્યાજ વધારે વ્હાલુ હોય. એટલે કે પોતાના દીકરા કરતા પણ પૌત્ર-પૌત્રી પ્રત્યે વધારે પ્રેમ હોય છે. જો કે અમરેલીના એક ગામમાં તેનાથી તદ્દન વિપરીત એક ઘટના સામે આવી છે. અહીં એક દાદીએ જ બાળકને બચકાં ભરીને મારી નાખ્યું હોવાનો ખુલાસો થયો છે. દાદીએ તેના રડતા પૌત્રને શાંત કરાવવા અનેક પ્રયત્ન કર્યા. જોકે પૌત્ર શાંત ન થતા દાદીને ગુસ્સો આવતા તેમણે બાળકને ગાલ પર, આંખ પર, કપાળ પર અને હાથ-પગ પર બચકાં ભર્યાં હતાં. એટલુ જ નહીં બાળકને માર પણ માર્યો હતો. જે બાદ બાળકનું મૃત્યુ થયું હતું.

અમરેલીના રાજસ્થળી ગામમાં દાદીનું ક્રુર રુપ જોવા મળ્યું. અમરેલી તાલુકાના રાજસ્થળી ગામમાં રહેતા હુસેન બચુભાઈ સૈયદના દોઢ વર્ષીય પૌત્ર અને પૌત્રી પોતાની દાદી સાથે રમી રહ્યાં હતાં. જોકે દોઢ વર્ષીય માસુમ પૌત્ર રડવા લાગતા દાદીએ તેને શાંત રાખવા માટેના પ્રયત્નો કર્યા હતા. પરંતુ બાળક શાંત ન રહેતા દાદીએ ગુસ્સામાં આવીને માસુમ બાળકને મોઢા સહિતના ભાગમાં બચકા ભરીને માર માર્યો હતો, જેના કારણે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને ત્યારબાદ બાળકનું મૃત્યુ થયું હતું.

જાણો સમગ્ર મામલો
અમરેલી તાલુકાના રાજસ્થળી ગામમા રહેણાંક મકાનમાં બાળકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. દોઢ વર્ષનો બાળક બચકાં ભરેલી હાલતમાં મળી આવતા અમરેલી તાલુકા પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી બાળકના મૃતદેહને પ્રથમ અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક બાળક અને તેની બહેન દાદી પાસે રૂમમાં રમી રહ્યાં હતાં. આ દરમિયાન બાળક એકાએક રડવા લાગ્યું હતું. જે બાદ દાદીને બાળકને છાનું રાખવાનો પ્રયાસ કર્યો હતો. તેમછતાં બાળકે રડવાનું બંધ ન કરતા દાદીએ આવેશમાં આવીને બાળકના ગાલ, કપાળ, હાથ અને શરીરના અન્ય ભાગ પર બચકાં ભર્યાં હતાં. એટલું જ નહીં મૂઢમાર માર્યો હતો. બાદમાં બાળકનું મૃત્યુ થયું હતું. બીજી તરફ પોલીસે હાલ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી દાદીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઇએ જણાવ્યું કે, ‘આ ગંભીર ઘટનામાં પરિવારજનો જ શંકાના દાયરામાં આવ્યા હતા. જેથી બધાની ઉલટ તપાસ શરૂ કરતા અંતે દાદી કુલસનબેન હુસેનભાઇ સૈયદે કબુલી લીધું હતું કે, પોતે જ સવા વર્ષના માસુમ પૌત્ર અલી રજાકની હત્યા કરી હતી. રાત્રે ખૂબ ઊંઘ આવતી હતી ત્યારે જ પૌત્ર ઊઠીને ખૂબ રડવા લાગતા અને શાંત નહીં થતાં ઉશ્કેરાઇ જઇને લાફા મારવા સાથે બચકાં પણ ભરી લીધા હતા. જેથી પૌત્ર બેશુદ્ધ જેવો થઈ ગયા બાદ મૃત્યુ પામ્યો હતો.

આ પણ વાંચો..અજીબ પ્રેમની કહાની: પતિએ લીધી પ્રતિજ્ઞા, પત્ની નહીં મળે ત્યાં સુધી રહીશ ભૂખ્યો…

Back to top button