ટ્રેન્ડિંગમનોરંજન

ફિલ્મ જોઈને અમર સિંહ ચમકીલાની પહેલી પત્નીએ દિલજીતને ગળે લગાવ્યો, જુઓ વીડિયો

  • ‘અમર સિંહ ચમકીલા’માં દિલજીતે પંજાબી ફોક સિંગર દિવંગત અમર સિંહ ચમકીલાની ભૂમિકા ભજવી છે, જ્યારે પરિણીતીએ તેની બીજી પત્ની અમરજોત સિંહની ભૂમિકા ભજવી છે. નિર્દેશક ઈમ્તિયાઝ અલીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવી રહી છે

18 એપ્રિલ, મુંબઈઃ પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ હાલમાં ખૂબ જ છવાયેલો છે. તેની ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા‘ નેટફ્લિક્સ પર 12 એપ્રિલે રિલીઝ થઈ છે. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. દરેક વ્યક્તિ તેના મુખ્ય કલાકારો દિલજીત દોસાંઝ અને પરિણીતી ચોપરાના વખાણ કરતા થાકતા નથી. ફિલ્મમાં દિલજીતે પંજાબી ફોક સિંગર દિવંગત અમર સિંહ ચમકીલાની ભૂમિકા ભજવી છે, જ્યારે પરિણીતીએ તેની બીજી પત્ની અમરજોત સિંહની ભૂમિકા ભજવી છે. નિર્દેશક ઈમ્તિયાઝ અલીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવી રહી છે.

અમર સિંહ ચમકીલાની બીજી પત્ની જોવા મળી

‘પંજાબના એલ્વિસ પ્રેસ્લી’ તરીકે જાણીતા ગાયક અમર સિંહ ચમકીલા હાલમાં આપણી વચ્ચે નથી, પરંતુ તેમનું પાત્ર દિલજીત દોસાંઝે ફિલ્મ ‘ચમકીલા’માં એટલી સુંદર રીતે ભજવ્યું છે કે પરદા પર તે પાત્ર જીવંત બન્યું છે. તાજેતરમાં જ મુંબઈમાં આ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. નિર્માતાઓએ આ પ્રીમિયર ઈવેન્ટમાં સ્વર્ગસ્થ અમરસિંહ ચમકીલાની પ્રથમ પત્ની ગુરમેલ કૌરને પણ આમંત્રણ આપ્યું હતું. આ ઉપરાંત બીજી પત્ની અમરજોત અને પુત્ર જયમાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. દિવંગત ગાયકની પહેલી પત્ની પ્રથમ વાર જાહેરમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh)

ગુરમેલે કોરે દિલજીતને ગળે લગાવ્યો

આ ઈવેન્ટ દરમિયાન કંઈક એવું થયું જે જોઈને ચાહકો ઈમોશનલ થઈ ગયા. ફિલ્મ જોયા પછી ગુરમેલ કૌરની આંખો ભીની થઈ ગઈ અને તેણે દિલજીત દોસાંજને ગળે લગાવ્યો. અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ ક્ષણનો એક વીડિયો શેર કર્યો છે. ફિલ્મના પ્રીમિયરમાં દિવંગત ગાયકના પરિવારના કેટલાક લોકોએ હાજરી આપી હતી જે વીડિયોમાં જોઈ શકાય છે. ગુરમેલ કૌરને દિલજીતને મળતો અને ગળે લગાવતો પણ જોઈ શકાય છે.

દિવંગત ગાયકે કર્યા હતા બે લગ્ન

પંજાબી સિંગર અમર સિંહ ચમકીલાએ બે લગ્નો કર્યા હતા. પહેલા લગ્ન ગુરમેલ કોર સાથે થયા હતા. આ લગ્ન ગાયક બન્યા પહેલા થયા હતા. આ સમયે તેઓ કારખાનામાં કામ કરતા હતા. ફિલ્મમાં પણ ગુરમેલના પાત્રને દર્શાવાયું છે. એક જૂના ઈન્ટરવ્યૂમાં અમરજોત અને અમર સિંહ ચમકીલાના પુત્ર જયમાને જણાવ્યું હતું કે તે પિતાના પહેલા પરિવાર સાથે પણ સંપર્કમાં છે. પિતાની પહેલી પત્નીને બે પુત્રીઓ હતી. તેની સાવકી બહેનોના નામ કમલદીપ અને અમનદીપ છે. અમનદીપના લગ્ન થઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ અયોધ્યામાં રામલલ્લાના દર્શન બાદ આ ચાર જગ્યાઓ પર જરૂર જજો, મનને શાંતિ મળશે

Back to top button