ગુજરાતટોપ ન્યૂઝ

અંગદાતાઓની સ્મૃતિમાં “અમર કક્ષ”, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા નવનિર્મિત “અમર કક્ષ”
  • “અમર કક્ષ” લોકોને અંગદાન માટે પ્રેરશે: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
  • બ્રેઇનડેડ દર્દીઓના પરિવારજનોને અંગદાન માટે કાઉન્સેલીંગ વખતે આ કક્ષ સકારાત્મક વાતાવરણ ઉભુ કરશે

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત “અમર કક્ષ”નું આજે લોકાર્પણ કર્યું હતુ. અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત “અમર કક્ષ” ભવિષ્યમાં અનેક લોકોને અંગદાન માટેની પ્રેરણા આપશે તેવો ભાવ તેમણે વ્યક્ત કર્યો હતો. ભવિષ્યમાં બ્રેઇનડેડ થતા દર્દીઓના સ્વજનો, પરિવારજનોને અંગદાનની સમજ આપતી વેળાએ આ કક્ષ એક સકારાત્મક વાતાવરણ ઉભી કરીને માનસપટલ પર સકારાત્મક અસરો ઉભી કરશે તેવું જણાવ્યું હતુ.

આ પણ વાંચો: ગુજરાત: આ જિલ્લામાં જંત્રીના સર્વે માટે તંત્ર સજ્જ થયુ, જમીનધારકોને ફાયદો 

આજે સમગ્ર રાજ્યમાં અંગદાન વેગવંતુ બન્યું

વધુમાં એમ પણ કહ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા 2.5 વર્ષમાં અંગદાન ક્ષેત્રે સરાહનીય કામગીરી કરવામાં આવી છે જે ધન્યતાને પાત્ર છે. સિવિલ હોસ્પિલમાં થયેલ 109 અંગદાન દ્વારા 33૦ જેટલા જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું હોવાનું જણાવીને સિવિલ હોસ્પિટલનો સેવાયજ્ઞ આજે સમગ્ર રાજ્યમાં મહાયજ્ઞ બન્યો છે તેમ તેમણે ઉમેર્યું હતુ. અમદાવાદ સિવિલ હોસ્પિટલની પહેલના કારણે આજે સમગ્ર રાજ્યમાં અંગદાન વેગવંતુ બન્યું હોવાનું પણ કહ્યું હતુ.

આ પણ વાંચો: ગુજરાતમાં થતા માર્ગ અકસ્માતનું ચોંકાવનારું કારણ સામે આવ્યું 

અંગદાનની સુવાસ આજે ખુણે ખુણા સુધી પહોંચી

તાજેતરમાં જ અંગદાન ક્ષેત્રે SOTTOને પ્રધાનમંત્રીના હસ્તે એનાયત થયેલ એવોર્ડ સંદર્ભે કહ્યું કે, ગુજરાત રાજ્યના અંગદાનના સેવાકીય કાર્યોને વડાપ્રધાને પણ બિરાદાવ્યું છે. જેના પરિણામે જ તાજેતરમાં જ ઇનોવેશન સ્ટેટ કેટેગરીમાં ગુજરાતના SOTTO એકમને એવોર્ડ પણ એનાયત થયો છે. સરકાર, સમાજ , સેવાભાવી સંસ્થા અને મીડિયાના સહિયારા પ્રયાસોથી જ આજે રાજ્યભરમાં અંગદાનની જાગૃકતા પ્રવર્તી છે.પરિણામે અંગદાનની સુવાસ આજે ખુણે ખુણા સુધી પહોંચી છે. અંગદાન ક્ષેત્રે અંગદાતાઓને શ્રધ્ધાજંલિ અર્પણ કરતું સમગ્ર દેશમાં સંભવિત પ્રથમ મેમોરીયલ હોવાનું સિવિલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો: ગુજરાત સરકારની આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને મળશે વાર્ષિક રૂ.20,000 

109 અંગદાનના અંગદાતાઓની તસ્વીર અંકિત કરવામાં આવી

આ અમર કક્ષમાં સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધીમાં થયેલ 109 અંગદાનના અંગદાતાઓની તસ્વીર અંકિત કરવામાં આવી છે. વધુમા આ કક્ષમાં એક કાઉન્સેલીગ રુમ પણ બનાવાયો છે. જ્યાં બ્રેઇનડેડ દર્દીઓના સ્વજનોનું અંગદાન માટે કાઉન્સેલીગ કરવામાં આવશે. આ કક્ષમાં અંગદાન માટે પ્રેરતા, સકારાત્મક વાતાવરણ ઉભું કરતા લેખ, સુત્રો, આર્ટિકલ્સ, મીડિયા કવરેજ પણ પ્રતિબીંબત કરાયા છે જેને વાંચીને લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃકતા વધશે. “અમર કક્ષ”ના લોકાર્પણ પ્રસંગે આરોગ્ય વિભાગના કમિશ્નર શાહમીના હુસૈન, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી, એડિશનલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રજનીશ પટેલ, વિવિધ વિભાગના વડા, તબીબો, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા.

Back to top button