કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022

પૂર્વ CM વિજયભાઈ રૂપાણીએ AAP ઉપર કર્યા તીખા પ્રહારો, જાણો વચનો મુદ્દે કર્યો કેવો કટાક્ષ

Text To Speech

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એક બાદ એક નેતાઓના આંટાફેરા વધી રહ્યા છે. તમામ પક્ષો મતદાતાઓને રીઝવવા માટે વાયદાઓ કરી રહ્યા છે. તેવામાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા તેમના દરેક પ્રવાસે પાંચ ગેરેન્ટી આપી રહ્યા છે. ત્યારે આ મુદ્દે આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ AAP ઉપર તીખા પ્રહારો કર્યા હતા. આજે રાજકોટમાં એક કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વિજય રૂપાણીએ આમ આદમી પાર્ટી પર તીખા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વાયદાઓ અને જુઠા વચનો આપવામાં આમ આદમી પાર્ટી માહેર છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતની જનતા ખૂબ જ શાણી અને સમજુ છે જેથી જૂઠા વચનોમાં નહી આવે.

મનીષ સિસોદિયા મામલે કાયદો તેનું કામ કરી રહ્યો છે

વધુમાં તેમણે કહ્યું હતું કે, મનીષ સિસોદિયા સામે કાયદાકીય કાર્યવાહીથી આમ આદમી પાર્ટીમાં ફફડાટ છે અને જેનો આમ આદમી પાર્ટી રાજકીય ઉપયોગ કરી રહી છે. હું સમજુ છું ત્યાં સુધી કાયદો તેનું કામ કરી રહ્યો છે. તેમાં ભાજપ ક્યાંય બાધા નથી નાંખી રહ્યું. તેમજ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતની જનતા ભાજપના કામોને જાણે છે.

Back to top button