ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

પાન મસાલા એડના વિવાદ પર અક્ષય કુમારે તોડ્યું મૌન

Text To Speech
  • બોલિવૂડના ખિલાડી એટલે કે અક્ષય કુમારે હવે પાન મસાલા એડ પર પોતાનું મૌન તોડ્યું છે. અભિનેતાએ કહ્યું કે આ જાહેરાત ઓક્ટોબર 2021 માં શૂટ કરવામાં આવી હતી.

બોલિવૂડનો ખિલાડી અક્ષય કુમાર ફરી એકવાર પાન મસાલાની જાહેરાતને લઈને સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા છે. પાન મસાલાની એડના કારણે અભિનેતાને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો. જેને લઈને અક્ષયે આ અંગે પોતાનું મૌન તોડ્યું અને કહ્યું કે આ જાહેરાત ઓક્ટોબર 2021માં શૂટ કરવામાં આવી હતી. જે તેઓ આવતા મહિનાના અંત સુધીમાં બતાવી શકે છે.

આ જાહેરાત ઓક્ટોબર 2021 માં શૂટ કરવામાં આવી છે – અક્ષય કુમાર

 

હવે અક્ષય કુમારે તેના X એકાઉન્ટ પર પાન મસાલા એડના વિવાદને લઈને એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે એક ચેનલને જવાબ આપ્યો અને લખ્યું- જો અન્ય વસ્તુઓ સિવાય તમને ફેક ન્યૂઝમાં રસ છે, તો અહીં તમારા માટે કેટલાક તથ્યો છે. આ જાહેરાતો 13 ઓક્ટોબર, 2021ના રોજ શૂટ કરવામાં આવી હતી. ત્યારે જ મેં આ જાહેરાતો બંધ કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી મારે બ્રાન્ડ સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ આવતા મહિનાના અંત સુધી કાયદેસર રીતે પહેલાથી જ શૂટ કરાયેલી જાહેરાતો ચલાવી શકે છે.”

આ વીડિયો જોયા બાદ ફેન્સે અક્ષયને સોશિયલ મીડિયામાં ટ્રોલ કર્યો હતો:

 

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@srkking555)

અક્ષય કુમારની આ એડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે શાહરૂખ ખાન અને અજય દેવગન સાથે તમાકુ બ્રાન્ડની એડ માટે જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં આ ત્રણેય સ્ટાર્સની સાથે અભિનેત્રી-મૉડલ સૌંદર્યા શર્મા પણ જોવા મળી હતી. અક્ષયનો આ વીડિયો ઈન્ટરનેટ પર સામે આવતા જ અક્ષયના ચાહકો ગુસ્સે થઈ ગયા અને અભિનેતાની ટીકા કરી હતી.

આ પણ વાંચો: Tiger Shroffની ‘ગણપત’નું ધમાકેદાર ટ્રેલર રીલીઝઃ બિગ બીની શાનદાર એન્ટ્રી

Back to top button