ધર્મ

અખાત્રીજે કષ્ટભંજન હનુમાનજીને કેરીનો અનોખો શણગાર….લાખો ભાવિકોએ કર્યા ઓનલાઈન દર્શન

Text To Speech

અખાત્રીજના પાવન અવસરે સાળંગપુરના દેવ હનુમાનજીને ખાસ શણગાર કરવામાં આવ્યો છે. દેશ-વિદેશમાં વસતા કરોડો શ્રદ્ધાળુઓના આરાધ્ય દેવ કષ્ટભંજન હનુમાનજી માટે કેરીઓથી સિંહાસન બનાવવામાં આવ્યું છે. ઉત્તમ ગુણવત્તાની કેરીથી દાદાની આસપાસ કેરી આકારનું જ કલાત્મક સિંહાસન બનાવાયું છે. મંદિરના પૂજારી અને સેવક સંતો દ્વારા વિશિષ્ટ રીતે કેરીની ગોઠવણી કરી દાદાના મનોહર દર્શન થાય તેવું સુંદર સુશોભન કરવામાં આવ્યું છે.

આ દિવ્ય શણગાર ના દર્શનનો લ્હાવો દેશ-વિદેશમાં વસતા ભક્તોએ ઓનલાઈન માધ્યમથી મેળવી ધન્યતા અનુભવી. બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે અખાત્રીજના પવિત્ર દિન નિમિતે દાદાના સિંહાસનને કેરીઓ વડે કેરીનો આકાર આપી શણગાર કરવામાં આવ્યો હતો.

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે અખાત્રીજના પવિત્ર દિન નિમિતે તા. 03-05-2022ને મંગળવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરી સવારે 5:30 કલાકે મંગળા આરતી કરાઈ. પૂજારી સ્વામી દ્વારા દાદાના સિંહાસનને કેરીઓ વડે કેરીનો આકાર આપી શણગાર કરવામાં આવ્યો છે. સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી તથા મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Back to top button