બિઝનેસ

Reliance Jio સમગ્ર ભારતમાં આ દિવસે લોન્ચ કરી શકે છે 5G સેવા, આકાશ અંબાણીએ આપ્યો સંકેત

Text To Speech

તાજેતરમાં 5Gની હરાજી સમાપ્ત થઈ છે. હવે રિલાયન્સ જિયો દેશભરમાં 5G રોલઆઉટ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપનીએ 5G પ્લાન અને ટ્રાયલ વિશે વધુ માહિતી શેર કરવામાં આવી નથી. જ્યારે વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલ જેવી અન્ય ટેલિકોમ કંપનીઓ વિશે માહિતી બહાર આવી હતી.

હવે રિલાયન્સ જિયો દ્વારા એવો સંકેત આપવામાં આવ્યો છે કે તેની 5G સેવા 15 ઓગસ્ટે દેશભરમાં રિલીઝ થઈ શકે છે. રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ આ અંગે સંકેત આપ્યા છે. તેમણે કહ્યું છે કે તેઓ સમગ્ર ભારતમાં 5G રોલઆઉટ સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરશે.

આકાશ અંબાણીના જણાવ્યા મુજબ, Jio વપરાશકર્તાઓને વિશ્વસ્તરીય, સસ્તું 5G અને 5G- સક્ષમ સેવા પ્રદાન કરશે. તમને જણાવી દઈએ કે કંપનીએ સ્પેક્ટ્રમની હરાજી દરમિયાન એટલું બધું સ્પેક્ટ્રમ ખરીદ્યું છે કે તે દેશમાં મોટા પાયે 5G સેવા શરૂ કરી શકે છે.

આ ટેલિકોમ કંપનીએ આ સ્પેક્ટ્રમની હરાજીમાં 88,078 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. આ કારણે તેમાં એવા એરવેવ્સ પણ છે જે અન્ય ટેલિકોમ કંપનીઓ પાસે નથી. Jio એકમાત્ર ટેલિકોમ કંપની છે જેની પાસે હાલમાં 700 MHz એરવેવ્સ છે. આ સાથે તેને અન્ય ટેલિકોમ કંપનીઓને ફાયદો થશે.

અત્યાર સુધી તમામ 5G નેટવર્ક ટ્રાયલ માટે હતા જેના માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) એ સ્પેક્ટ્રમ આપ્યું હતું. આ અંગે વધુ માહિતી માટે રાહ જોવી પડશે. આ માટે યુઝર્સને 5G સિમની પણ જરૂર પડશે. આ સિવાય જો તે આ કરવામાં સફળ થાય છે તો તેને અન્ય ટેલિકોમ કંપનીઓ કરતા વધુ ફાયદો થશે.

Back to top button