ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

AI પણ ધાર્મિક બન્યુઃ ભગવદ ગીતાથી પ્રેરિત Chatbot શું છે?

Text To Speech

ગીતા GPTને ગૂગલ ઇંડિયાના સોફ્ટવેર એન્જિનીયર સુકુરૂ સાઇ વિનીતે બનાવ્યુ છે. આ એપને જ્યારે તમે સવાલો પુછો છો તો તે ગીતાના શિક્ષણ પર આધારિત જવાબ આપે છે. તેમાં ગીતાના જ્ઞાનની સુવિધા મળે છે.

AI પણ ધાર્મિક બન્યુઃ ભગવદ ગીતાથી પ્રેરિત Chatbot શું છે? hum dekhenge news

ગીતા GPTના લાભોમાંથી એક છે ભગવદ ગીતા વ્યાખ્યાનોને ઉપયોગકર્તાની સટીક પુછપરછ અને માંગ અનુસાર અનુકુલિત કરવાની તેની ક્ષમતા. જો કોઇ યુઝર આંતરિક શાંતિના માર્ગ અંગે પુછપરછ કરે છે તો ચેટબોટ પ્રાસંગિક ધર્મગ્રંથોની સાથે સાથે તેને જીવનમાં લાગુ કરવા અંગેની સલાહ પણ આપે છે. આ ઉપરાંત ગીતા જીપીટી વિશિષ્ટ સ્થિતિઓ પર સલાહ આપી શકે છે, જેમકે દુઃખ સામે લડવુ કે કોઇ ઉદ્દેશની શોધ કરવી.

AI પણ ધાર્મિક બન્યુઃ ભગવદ ગીતાથી પ્રેરિત Chatbot શું છે? hum dekhenge news

શું છે ભગવદ ગીતા

ભગવદ ગીતા અર્જુન અને તેમના સારથી શ્રીકૃષ્ણની વચ્ચે મહાભારતના યુદ્ધમાં થયેલા સંવાદ પર આધારિત પુસ્તક છે. ગીતામાં જ્ઞાન યોગ, કર્મ યોગ, ભક્તિ યોગ, રાજયોગ વગેરેની ચર્ચાઓ કરાઇ છે. ગીતા મુષ્યને કર્મનું મહત્ત્વ સમજાવે છે. ગીતા માનવજીવનનો સાર જણાવે છે. તેમાં 18 અધ્યાય અને 700 શ્લોક છે. ગીતા માણસને અનુશાસન, ઇમાનદારી, દયા અને અખંડતા સાથે જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે છે.

આ પણ વાંચોઃ હવે ગોવા બીચ પર લાઇફગાર્ડ બનશે રોબોટઃ કેવી રીતે બચાવશે લોકોના જીવ?

Back to top button