ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: દરોડામાં નકલી એન્ટિબાયોટિક દવાઓ બનાવવાના કૌભાંડમાં થયો મોટો ખુલાસો

  • અમદાવાદમાંથી ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી નકલી એન્ટીબાયોટીક દવા મળી
  • પ્રાથમિક તપાસમાં આ બનાવટી દવા હિમાચલપ્રદેશમાં બનતી હોવાનું સામે આવ્યું
  • ઇસનપુર પોલીસે સમગ્ર કેસમાં અગાઉ કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી

અમદાવાદના દરોડામાં નકલી એન્ટિબાયોટિક દવાઓ બનાવવાના કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના રાજ્યભરમાં દરોડા પાડ્યા છે. ત્યારે બનાવટી દવાઓના વેપલાનો પર્દાફાશ થયો છે. તેમાં અમદાવાદના ઇસનપુર પોલીસ મથકમાં ચાર આરોપીઓ વીરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. તેમાં બનાવટી દવાના તાર હવે મેડિકલ સ્ટોર તેમજ ડોક્ટરો સુધી પહોંચ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત: આ વિસ્તારમાં શુદ્ધ ગાયના ઘીના નામે નકલી ઘી વેંચતી 60થી વધુ ફેક્ટરીઓ હોવાની શક્યતા

અમદાવાદમાંથી ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી નકલી એન્ટીબાયોટીક દવા મળી

ગાંધીનગરની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યભરમાં દરોડા પાડી બનાવટી દવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જે મામલે ઇસનપુર પોલીસ મથકમાં ચાર આરોપીઓ વીરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીઓની ધરપકડ કરવામાં હતી. જોકે આરોપીઓની પૂછપરછમાં હવે વધુ ખુલાસાઓ થયા છે અને આ બનાવટી દવાના તાર હવે મેડિકલ સ્ટોર તેમજ ડોક્ટરો સુધી પહોંચ્યા છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નકલી દવાને લઈને રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં મોટા પ્રમાણમાં નકલી એન્ટિબાયોટિક દવાઓ બનતી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદમાંથી ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી નકલી એન્ટીબાયોટીક દવા મળી આવી હતી. આ બનાવટી દવાઓ વેચતા લોકો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ચાર લોકોની ધરપકડ પણ કરી હતી. જેમા ઝડપાયેલા આરોપ વિપુલ દેગરાની પુછપરછમાં વધુ ખુલાસાઓ થયા છે. અને પોલીસે સમગ્ર કેસમાં વધુ એક મેડિકલ સ્ટોરના માલિક વિસાલ મકવાણાની પણ ધરપકડ કરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કપાસના વાવેતરમાં આ વિસ્તાર છે પ્રથમ નંબરે

ઇસનપુર પોલીસે સમગ્ર કેસમાં અગાઉ કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી

ઇસનપુર પોલીસે સમગ્ર કેસમાં અગાઉ કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ખિમારામ સોદારામ નામના વ્યક્તિ પાસેથી ડુપ્લીકેટ દવાના 99 જેટલા બોક્ષ મળી આવ્યા હતા. ખિમારામ સોદારામની પૂછપરછ કરતા તેણે આ દવાનો જથ્થો વટવાના અરુણ રાજેંદ્રસિંહ અમેરા પાસેથી લીધી હતી. અરુણકુમાર રાજેન્દ્રસિંહ અમેરાની પૂછપરછ કરતા તેઓએ આ નકલી દવાનો જથ્થો ઇસનપુર વિપુલ દેગડા પાસેથી લીધી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે વિપુલ દેગડા પાસેથી જુદી જુદી પાંચ બનાવટી એન્ટીબાયોટીક દવાઓ પણ મળી આવી છે. વિપુલ દેગડા દ્વારા આ દવાઓનો જથ્થો દર્શન વ્યાસ પાસેથી લીધી હોવાની કબૂલાત કરી હતી. જોકે વિપુલ દેગરાની પૂછપરછમાં વધુ એક નામ સામે આવ્યું હતું અને જેના આધારે પોલીસે વિશાલ મકવાણા નામના આરોપીની ધરપકડ કરી છે. વિશાલ મકવાણા નારોલ વિસ્તારમાં મૂન મેડિકલ સ્ટોરનો માલિક છે અને વિશાલ મકવાણાએ પણ આ બનાવટી દવાઓ અન્ય મેડિકલ સ્ટોર તેમજ ડોક્ટરોને વહેંચી હોવાનો પણ ખુલાસો થયો છે. જોકે વિશાલ મકવાણા ફાર્મસિસ્ટનું લાઇસન્સ પણ ધરાવતો નથી. સમગ્ર મામલે ઇસનપુર પોલીસે વિશાલ મકવાણાની ધરપકડ કરી છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો: ગુજરાતની આ 7 નદીઓ અતિપ્રદૂષિત હોવાનો રિપોર્ટ આવ્યો સામે

પ્રાથમિક તપાસમાં આ બનાવટી દવા હિમાચલપ્રદેશમાં બનતી હોવાનું સામે આવ્યું

ખીમારામ સોદારામ પાસેથી જે દવાઓ મળી આવી છે તેની પ્રાથમિક તપાસમાં આ બનાવટી દવા હિમાચલપ્રદેશમાં બનતી હોવાનું સામે આવ્યું હતું. જોકે હિમાચલપ્રદેશમાં આ બાબતે તપાસ કરતા આવા પ્રકારની કોઈ કંપની દવા બનાવતી જ નથી અને કોઈ કંપની પણ અસ્તિત્વ ન હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ વિપુલ દેગડાના મોબાઇલની તપાસ કરતા તેણે આ બનાવટી એન્ટીબાયોટીક દવાઓ રાજ્યના જુદા જુદા શહેરોમાં ડોકટરોને તથા વિવિધ મેડીકલ સ્ટોર્સમાં વગર બીલે સપ્લાય કર્યો હોવાનું બહાર આવ્યું છે.

Back to top button