અમદાવાદગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદ : પીરાણા રોડ પર આવેલ સ્પંચ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગે જાહેર કર્યો મેજર કોલ

Text To Speech
  • પીરાણા રોડ પર આવેલી સ્પંચ કંપનીમાં ભીષણ આગ
  • ફાયરબ્રિગેડની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
  • ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો

અમદાવાદ શહેરની એક કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની વિગતો સામે આવી છે.અમદાવાદના પીરાણા નજીક પીપડ રોડ પર બાલાજી પેટ્રોલ પંપ પાસે સ્પંચ કંપનીમાં ભીષણ આગ લાગી છે. આગ લાગતા અહી અફરા તફરીનો માહોલ સર્જાયો છે. આગ એટલી વિકરાળ છે કે દૂર દૂર સુધી આગના ગોટા ઉડતા નજરે પડી રહ્યા છે.

સ્પંચ કંપનીમાં ભીષણ આગ

અમદાવાદની એક કંપનીમાં આગ લાગી હોવાની વિગતો મળી રહી છે. જાણકારી મુજબ અમદાવાદના પીરાણા નજીક પીપડ રોડ પર બાલાજી પેટ્રોલ પંપ પાસે સ્પંચ કંપનીમાં ભીષણ આગની ઘટના બની છે. એકા એક કંપનીમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે.

અમદાવાદ આગ-humdekhengenews

ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી

આગની ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. પરંતુ આગ કુબ વિકરાળ હોવાથી ફાયરબ્રિગેડની 14 ગાડીઓ ઘટનાસ્થળે બોલાવવામા આવી છે. ઘટનાને જોતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે. અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ ફાયરની ટીમ દ્વારા કરવામા આવી રહ્યો છે.

 આ પણ વાંચો : ડમી કાંડ મુદ્દે પોલીસ એક્શનમાં, યુવરાજસિંહ બાદ હવે તેના સાળાની ધરપકડ

Back to top button