ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: AMCના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ, આટલી ફેમસ જગ્યાઓ કરાઇ સીલ

  • ન્યૂ રાયપુર ભજિયા હાઉસ, કર્ણાવતી દાબેલી, ઈટાલીયોઝ પિઝા સીલ કરાયા
  • AMCના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગમાં 13 જગ્યાઓને સીલ કરાઇ છે
  • શહેરમાં ફૂડ વિભાગના દરોડામાં 486 કિલો ખાદ્યચીજોનો નાશ કરાયો

અમદાવાદમાં AMCના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. જેમાં કેટલીક ફેમસ જગ્યાઓ સીલ કરવામાં આવી છે. તેમાં ન્યૂ રાયપુર ભજિયા હાઉસ, કર્ણાવતી દાબેલી, ઈટાલીયોઝ પિઝા સીલ કરાયા છે. તેમજ AMCના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગમાં 13 જગ્યાઓને સીલ કરાઇ છે. તથા શહેરમાં ફૂડ વિભાગના દરોડામાં 486 કિલો ખાદ્યચીજોનો નાશ કરાયો છે.

આ પણ વાંચો: કૃષિમંત્રી રાઘવજી પટેલે ભારતની શિક્ષણ વ્યવસ્થા અને પરિસ્થિતિ પર વ્યથા ઠાલવી

સબ સ્ટાન્ડર્ડ ખોરાક મળી આવતાં સીલ કરાયા

AMCના ફુડ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં હોટલો, રેસ્ટોરેન્ટ, ખાણી પીણીનું વેચાણ કરાતા એકમો પર દરોડા પાડતાં બિનઆરોગ્યપ્રદ ખાદ્યસામગ્રી, ગંદકી, બળેલા તેલનું વધુ પ્રમાણ, શુદ્ધ પીવા લાયક પાણીનો અભાવ, સબ સ્ટાન્ડર્ડ ખોરાક મળી આવતાં 13 એકમ સીલ કર્યા છે અને 486 કિલો બિનઆરોગ્યપ્રદ જથ્થાનો નાશ કર્યો છે તેમજ રૂ.10,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ સાર્વજનિક પુસ્તકાલયો માટે લીધો મોટો નિર્ણય 

CCRSમાં કરેલી ફરિયાદને પગલે આલ્ફા વન મોલમાં દરોડા

ન્યૂ રાયપુર ભજિયા હાઉસ, કર્ણાવતી દાબેલી, ઈટાલીયોઝ પીઝા, રાજેશ અને નાગર દાળવાડા, જય ભવાની છોલે ભટુરે, ક્રિશ્ના ફૂડ સેન્ટર, વગેરે સહિત 13 એકમોને સીલ કરાયા છે. તાજેતરમાં એક જાગૃત નાગરિકે CCRSમાં કરેલી ફરિયાદને પગલે આલ્ફા વન મોલના આઉટલેટને સીલ કરવાની ફરજ પડી હતી. AMCના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન ગંદકી, બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી, શુદ્ધ પાણીનો અભાવ, વગેરે જોવા મળતાં હોટલ, રેસ્ટોરેન્ટ અને ખાણી પીણી એકમો સામે પગલાં લેવાની કાર્યવાહી ચાલી રહી હતી તે વેળા રાજકીય નેતાઓ અને સ્થાનિક કોર્પોરેટરોએ ફોન કરી અને ભલામણ કરી હોવાનું જાણવા મળે છે. જોકે, કેટલીક જગ્યાએ આ ભલામણોને ધ્યાન પર લેવાઈ ન હતી અને સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાત: એક વર્ષમાં વાહનોના વેચાણ થયો આટલો વધારો 

શહેરમાં આ ફૂડ એકમો સીલ કરવામાં આવ્યા

ન્યુ રાયપુર ભજીયા હાઉસ, સારંગપુર દરવાજા, રાજેશ દાળવડા અને નાગર દાળવડા, હાટકેશ્વર સર્કલ, ઈટાલીયોઝ પીઝા, લો ગાર્ડન, જય ભવાની છોલે ભટુરે, નવરંગપુરા, આશાપુરા ભોજનાલય, બાપુનગર, અંબિકા ભાજીપાંઉ, સરસપુર, અર્બુદા ચવાણા એન્ડ સ્વીટ માર્ટ, નારોલ સર્કલ ઓફ્સિ પાછળ, આંબેશ્વર ચવાણા એન્ડ સ્વીટ માર્ટ નારોલ કોર્ટ પાસે, ક્રિષ્ના ફૂડ સેન્ટર વિશ્વકર્મા મંદિર, ચાંદલોડિયા, આશાપુરા ભોજનાલય કારગિલ પેટ્રોલ પંપ, બાલાજી ચાઈનીઝ ફૂડ અને કર્ણાવતી દાબેલી સરખેજ ગામ.

Back to top button