અમદાવાદગુજરાત

અમદાવાદ એરપોર્ટે એડવાઈઝરી જાહેર કરી: મુસાફરોએ એરપોર્ટ પર વહેલુ પહોંચવુ પડશે

Text To Speech

અમદાવાદ, 12 ઓગસ્ટ 2024, સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોનો ધસારો વધી રહ્યો છે. ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ સેક્ટર માટેની ફ્લાઈટ પણ વિવિધ એરલાઇન્સ દ્વારા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટની કનેક્ટિવિટી વધતા મુસાફરોની અવરજવર પણ વધી રહી છે. આ સપ્તાહમાં 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસને કારણે એરપોર્ટ પર સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. જ્યારે તહેવારોને કારણે લોંગ વિકેન્ડ હોવાથી મુસાફરોનો ધસારો વધુ રહેશે. જેને કારણે મુસાફરોએ સિક્યોરિટી પર્પઝથી એરપોર્ટ પર વહેલું પહોંચવું પડશે.

એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી
ચાલુ સપ્તાહમાં ચારથી પાંચ રજા એક સાથે હોવાથી લોકો વેકેશનના મૂડમાં છે. તેને કારણે આ સપ્તાહના અંતમાં અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો ધસારો વધી શકે છે.અમદાવાદ એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ગુરૂવારે 15 ઓગસ્ટના દિવસે સ્વતંત્ર દિવસની તૈયારીઓના ભાગરૂપે એરપોર્ટ પર સિક્યોરિટી પણ વધારી દેવામાં આવી છે. એરપોર્ટ ઉપર દરરોજ અનેક મુસાફરો અવર-જવર કરે છે ત્યારે લાંબા વિક એન્ડને કારણે મુસાફરો વધી જવાથી એર ટ્રાફિક વધુ રહેશે અને સ્વતંત્ર દિવસના ભાગરૂપે વીઆઇપી મુવમેન્ટ પણ વધી શકે છે. એર ટ્રાફિક વધવાને કારણે મુસાફરોને વધુ સમય ફાળવવા માટે જણાવવામાં આવ્યું છે.

એરપોર્ટ ઉપર સિક્યોરિટી ખડકી દેવામાં આવી
આ એડવાઈઝરીમાં એરપોર્ટ દ્વારા મુસાફરોને જણાવવામાં આવ્યું છે કે, 15મી ઓગસ્ટને કારણે વધારે સિક્યોરિટી મેજર્સને ધ્યાનમાં રાખીને 20 ઓગસ્ટ સુધી મુસાફરો માટે એરપોર્ટ ઉપર સિક્યોરિટી ખડકી દેવામાં આવી છે. તમામ મુસાફરોએ સિક્યોરિટી પ્રોટોકોલ પૂર્ણ કરવા માટે વધુ સમય ફાળવવો પડશે. જેથી કરીને ફ્લાઇટના ઓપરેશનમાં કોઈ વિલંબ ન થાય અને સિક્યોરિટી મેજર્સ ચેક કરવા માટે પણ ઓફિસર્સને તથા પેસેન્જરને પૂરતો સમય મળી રહે. આ માટે આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચોઃઅમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્સ ડોક્ટરોએ કેમ હડતાળની ચીમકી ઉચ્ચારી

Back to top button