અમદાવાદમાં સવારથી જ અનેક વિસ્તારોમા વરસાદ વરસી રહ્યો છે. ત્યારે શહેરના ઓગણજ ગામ ખાતે દીવાલ પડતા પાંચ મજુર દટાયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
દીવાલ પડતા 5 મજૂરો દટાયા
શહેર પાસે આવેલા ઓગણજ ગામના દશેશ્વર ફાર્મ પાછળ આવેલી કન્સ્ટ્રક્શન સાઈટની દીવાલ ધરાસાયી થતા પાંચ મજૂરો દટાયા હતા.જેમાંથી ત્રણના મોત થયા છે જયારે બે મજુરને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
બાળકોને શાળાએ મોકલવા બાબતે DEOએ કર્યો મોટો નિર્ણય
અમદાવાદમાં વરસાદે ફરી એન્ટ્રી લેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આવામાં બાળકોને શાળાએ મોકલવા કે નહીં તે બાબતે DEOએ મોટો નિર્ણય કર્યો છે. DEOએ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય શાળાના આચાર્ય પર છોડાયો છે. ફરી શરૂ થયેલા વરસાદને કારણે DEOએ શાળાઓને સુચના આપી હતી. આ સાથે દરેક શાળાના આચાર્યને વિવેક બુદ્ધિથી નિર્ણય કરવા સુચન આપ્યું હતું.