અમદાવાદઃ 3 વર્ષમાં 70.94 લાખ વૃક્ષોની સામે 24.83 લાખ વૃક્ષો બળી ગયાં; ગ્રીન કવર 12% થી 15% સુધી લઈ જવો અશક્ય

2 માર્ચ 2025 અમદાવાદ; AMC વિરોધ પક્ષના નેતા શેહઝાદ ખાન પઠાને “એક પેડ માં કે નામ”નો નારો આપી મા ના નામે કરેલ વૃક્ષારોપણનું પુરતું જતન કરવામાં AMC નિષ્ફળ ગયું છે. તેવું જણાવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષ નેતાએ આંકડાકીય માહિતી સાથે જણાવ્યું હતું. ત્યારે આ માહિતીમાં કેટલું સત્ય છે? તેની યોગ્ય તપાસ થવી જોઈએ કે નહિ તેવી તમામ બાબતો પર ભાર મુકાયો હતો.
70.94 લાખ વૃક્ષો પૈકી 46,11,344 સર્વાઇવ થયાં
વિરોધ પક્ષના નેતાએ વિડિયો કોન્ફરન્સનાં માધ્યમથી જણાવ્યું હતું કે AMC સત્તાધીશો દ્વારા “એક પેડ માં કે નામ” તથા “શ્રી મીલીયન ટ્રી” નો નારો આપીને છેલ્લા ત્રણ વર્ષમાં રૂા ૬૬.૨૧ કરોડથી પણ વધુ રકમનો ખર્ચ કરી ૭૦.૯૪ લાખ વૃક્ષો રોપવામાં આવ્યા હતા તેમાં અમદાવાદ શહેરમાં રોપવામાં આવેલ ૭૦.૯૪ લાખ વૃક્ષો પૈકી ૪૬,૧૧,૩૪૪ સર્વાઇવ થઇ શક્યાં અને બાકીના ૨૪,૮૩,૦૩૩ વૃક્ષો બળી ગયાં, વૃક્ષારોપણ બાબતે સત્તાધીશો દ્વારા ‘એક પેડ માં કે નામ”નો નારો આપીને વૃક્ષારોપણનું પુરતું જતન કરવામાં નિષ્ફળ જાય છે. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે એક તરફ ગ્લોબલ વોર્મિંગની દુહાઈ દેવામાં આવે છે બીજી તરફ ૨૪.૮૩ લાખ વૃક્ષો બળી જાય તે કેટલું યોગ્ય છે?
ગ્રીન કવર 12%થી 15% સુધી લઈ જવાનો લક્ષ્યાંક
તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા ૩ વર્ષમાં કુલ રૂા. ૬૬.૨૧ કરોડના ૩૯૪ કામો કોન્ટ્રાકટરોને આપવામાં આવ્યાં તે કામો પૈકી ૭૧ કામો સિંગલ ટેન્ડરથી અને ૩૨૩ કામો કવોટેશનથી આપવામાં આવ્યું, હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે એક તરફ ગ્લોબલ વોર્મિંગની દુહાઈ દેવામાં આવે છે બીજી તરફ વૃક્ષો બળી જાય તે બાબતે એક પણ કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ પણ કરવામાં આવતો નથી. અમદાવાદ મ્યુ.કોર્પો. દ્વારા અગાઉ ૨૦૨૫ સુધીમાં ગ્રીન કવર ૧૨% થી વધારીને ૧૫ % સુધી લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કરેલ છે પરંતુ તેમનું તે આયોજન માત્ર કાગળ પર જ રહેવા પામેલ છે
સાચા અર્થમાં ગ્રીન સીટી બનાવવા કોંગ્રેસની માંગ
કલીન સીટી – ગ્રીન સિટી- લવેબલ અને લીવેબલ સીટી-સ્લમ ફ્રી સીટી – અમદાવાદ નં ૧ – અમદાવાદ શહેરને શાધાંઈ જેવું બનાવવાં માટે માટે જરૂરી દુરંદેશી અને ઇચ્છા શકિતનો ભાજપના શાસકો પાસે અભાવ છે. અમદાવાદ શહેરના વિકાસ માટે મ્યુ.કોર્પો દ્વારા શહેરમાં ગ્રીનરીઝ વધારવા તાકીદે કાર્યવાહી કરી શહેરને સાચા અર્થમાં ગ્રીન સીટી બનાવવા કાર્યવાહી થવા કોગ્રેસ પક્ષ વતી કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા પઠાણે માંગણી કરી હતી.