નાસભાગની દુર્ઘટના બાદ નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપટ પ્લેટફોર્મ ટિકિટ કાઉન્ટર 26મી સુધી બંધ
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/new-delhi-2.jpg)
નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી : નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ બાદ પ્લેટફોર્મ ટિકિટનું કાઉન્ટર સેલ બંધ કરી દેવામાં આવ્યું છે. આ આદેશ 26મી ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે. જણાવવામાં આવી રહ્યું છે કે નાસભાગ બાદ NDLS પર કોઈ પ્લેટફોર્મ ટિકિટ આપવામાં આવી નથી.
મળતી માહિતી મુજબ, રેલ્વે પ્રશાસને નવી દિલ્હી રેલવે સ્ટેશન પર 26 ફેબ્રુઆરી સુધી પ્લેટફોર્મ ટિકિટના કાઉન્ટર વેચાણ પર રોક લગાવી દીધી છે. પ્લેટફોર્મ પર ભીડને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્રે આ પગલું ભર્યું છે. તેમજ નવી દિલ્હી સ્ટેશન પર રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે દરેક એન્ટ્રી પોઈન્ટ પર આરપીએફ અને ટીટી તૈનાત કરવામાં આવ્યા છે. આ આદેશ બાદ હવે જો તમારી પાસે જનરલ ટિકિટ કે આરક્ષિત ટિકિટ હશે તો જ તમે પ્લેટફોર્મ પર જઈ શકશો.
ભીડ વ્યવસ્થાપન માટે 6 અધિકારીઓ તૈનાત
અગાઉ, દિલ્હી પોલીસે રેલ્વે સ્ટેશન પર ભીડ વ્યવસ્થાપન માટે ઇન્સ્પેક્ટર રેન્કના છ અધિકારીઓ તૈનાત કર્યા હતા. આ તે અધિકારી છે. જેમને પહેલેથી જ NDLS માં કામ કરવાનો અનુભવ છે. આમાંથી કેટલાક અધિકારીઓ નવી દિલ્હી રેલવે પોલીસ સ્ટેશનમાં એસએચઓનું પદ સંભાળી ચુક્યા છે.
શનિવારે 1500 જનરલ ટિકિટનું વેચાણ થયું હતું
મહત્વનું છે કે શનિવારે રાત્રે શરૂ થયેલી નાસભાગની તપાસમાં સામે આવ્યું છે કે નવી દિલ્હી સ્ટેશન પર દર કલાકે રેલવે દ્વારા 1500 સામાન્ય ટિકિટો વેચવામાં આવે છે.
નાસભાગ કેવી રીતે થઈ?
નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 14 પર ભક્તોની મોટી ભીડ પ્રયાગરાજ જતી ટ્રેનની રાહ જોઈ રહી હતી અને અન્ય મુસાફરો પણ ત્યાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન, રેલવેએ અચાનક પ્લેટફોર્મ નંબર 16 પરથી સ્પેશિયલ ટ્રેન આવવાની જાહેરાત કરી હતી.
આ પછી, જે મુસાફરો પહેલેથી પ્લેટફોર્મ 14 પર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેઓ પણ જાહેરાત પછી પ્લેટફોર્મ 16 તરફ દોડ્યા, જેના કારણે અરાજકતા સર્જાઈ અને ભીડ કાબૂ બહાર થઈ ગઈ હતી અને લોકો એકબીજા પર પડવા લાગ્યા હતા. આ નાસભાગનું કારણ બન્યું હતું. નાસભાગમાં 18 લોકોના મોત થયા હતા, જેમાં 9 પુરુષો, 8 મહિલાઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો :- PWD વિભાગના એન્જિનિયર ઉપર એસીબીના દરોડા, મળ્યો કુબેર ખજાનો, જાણો કોણ છે સરકારી બાબુ