નેશનલ

પંજાબમાં સુધીર સૂરીની હત્યા બાદ હિંદુ નેતાઓની સુરક્ષામાં કરાયો વધારો

Text To Speech

પંજાબના અમૃતસરમાં થોડા દિવસ પહેલા હિંદૂ નેતા સુધીર સૂરીની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા બાદ પંજાબ સરકારે પંજાબના હિંદુ નેતાઓની સુરક્ષાની સમીક્ષા કરી છે. સમીક્ષા બાદ લુધિયાણાના પાંચ હિંદુ નેતાઓ તેમજ કટ્ટરપંથીઓ વિરુદ્ધ ઉગ્ર નિવેદન આપનાર ગુરસિમરન સિંહ મંડના જીવને વધુ જોખમ માનવામાં આવે છે. સરકારે આ તમામને બુલેટ પ્રુફ જેકેટ્સ આપ્યા છે. આ ઉપરાંત તેમના સુરક્ષાકર્મીઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

ક્યાં નેતાઓની સુરક્ષામાં વધારો કરાયો અને જેકેટ્સ અપાયા

રાજ્ય સરકાર દ્વારા શિવસેના પંજાબના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ ટંડન, અમિત અરોરા, યોગેશ બક્ષી, નીરજ ભારદ્વાજ, હરકીરત ખુરાના તેમજ ગુરસિમરન સિંહ મંડને બુલેટ પ્રૂફ જેકેટ આપવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હિન્દુ નેતા અમિત અરોરાના સુરક્ષા સ્ટાફમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ અમિત અરોરા સાથે પાંચ સુરક્ષાકર્મીઓ હતા અને હવે નવ સુરક્ષાકર્મીઓ તેને ચલાવશે. આ તમામ નેતાઓએ હંમેશા 20 કિલોથી વધુ વજનના બુલેટ પ્રુફ જેકેટ પહેરવા પડશે. આ સિવાય પ્રશાસન ક્ષણ-ક્ષણે તેમના પર નજર રાખશે. હિન્દુ નેતા સુધીર સૂરીની હત્યા બાદ પાકિસ્તાનમાં બેઠેલા ગોપાલ ચાવલાએ ધમકી આપી હતી કે પહેલા સૂરીની હત્યા કરવામાં આવી અને હવે અમિત અરોરા સાથે ગુરસિમરન સિંહ મંડનો વારો છે. આ સિવાય ઘણા નેતાઓને ધમકીઓ મળી રહી હતી, જેના કારણે સરકાર તરફથી આદેશો આવ્યા હતા કે જિલ્લા પોલીસે તેમના સ્તરે હિન્દુ નેતાઓની સુરક્ષાની સમીક્ષા કરવી જોઈએ.

Back to top button