ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

પ્રદિપસિંહ વાઘેલા બાદ હવે વડોદરા શહેર ભાજપ મહામંત્રીનું રાજીનામું, જાણો કારણ

Text To Speech
  • વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીનું રાજીનામું
  • સ્વૈચ્છાએ રાજીનામું આપ્યાનું કારણ અંગત કારણો

ગુજરાતના રાજકારણના સમીકરણોમાં બદલાવનો પવન જોવા મળી રહ્યો છે. પાર્ટીમાંથી એકબાદ એક લોકો રાજીનામાં આપતા જોવા મળી રહ્યા છે. જેમાં ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ વધુ એક નેતાએ રાજીનામું આપી દીધું હોવાનું સામે આવ્યું છે. પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે.

સુનિલ સોલંકીએ સ્વૈચ્છાએ રાજીનામું આપ્યું
પ્રાપ્ત વિગતો અનુસાર,વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ સ્વૈચ્છાએ રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે. સુનિલ સોલંકીએ અચાનક મહામંત્રી પદેથી રાજીનામું આપી દેતા લોકોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. આપને જણાવી દઈએ કે, સુનિલ સોલંકી અગાઉ વડોદરાના મેયર પણ રહી ચૂક્યા છે. ત્યારે તેમના અચાનક રાજીનામાથી સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.રાજીનામા અંગે સુનીલ સોલંકીએ જણાવ્યું છે કે,મેં એક સપ્તાહ પહેલા જ રાજીનામું આપ્યું છે. આ અંગે મેં પ્રદેશ પ્રમુખ સાથે ચર્ચા કરી હતી. મેં મારા અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. હું પાર્ટીનો વફાદાર કાર્યકર છું અને રહીશ. ભારતીય જનતા પાર્ટીએ મને વડોદરા મેયરની જવાબદારી સોંપી હતી. જે બાદ મને શહેર મહામંત્રી બનાવ્યો હતો. હું હજુ પણ પાર્ટી સાથે કામ કરતો રહીશ.

આ પણ વાંચો : ભારતીય માછીમારો જો હવે પાકિસ્તાનના હાથે ચડશે તો જાણો કેટલા વર્ષની જેલ થશે

પ્રદીપસિંહ વાઘેલાએ પણ આપ્યું રાજીનામું
મહત્વનું, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પણ રાજીનામું આપી દીધું છે. પ્રદેશ મહામંત્રી પદેથી પ્રદીપસિંહના અચાનક રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રજની પટેલે મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું છે કે, પ્રદીપસિંહ વાઘેલાએ વ્યક્તિગત કારણોસર ભાજપના પ્રદેશ મહામંત્રીનું પદ છોડ્યું છે. તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ભારતીય માછીમારો જો હવે પાકિસ્તાનના હાથે ચડશે તો જાણો કેટલા વર્ષની જેલ થશે

Back to top button