ટોપ ન્યૂઝટ્રાવેલનેશનલ

માનહાનિ કેસમાં ભાઇને રાહત મળતા બહેને ખુશીથી કહ્યું- ત્રણ વસ્તુઓ છૂપાવી શકાતી નથી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ મામલે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરતા રાહુલ ગાંધીના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો અને હાલ તેમની સજા પર રોક લગાવી દીધી છે. ઉલ્લેખનિય ચે કે, મોદી સરનેમ માનહાનિ મામલે સુનાવણી બાદ ગુજરાતની સૂરત કોર્ટને તેમને સજા સંભળાવી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીનું સંસદ પદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધીના પક્ષમાં નિર્ણય આવ્યા બાદ કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચી રહ્યા છે, તો આ મામલે બહેન પ્રિયંકા ગાંધીએ પણ ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો-મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને રાહત પર પુર્ણેશ મોદીએ શું કહ્યું ?

ભાઇને રાહત મળતા બહેને શું કહ્યું?

સુપ્રીમ કોર્ટમાંથી રાહુલ ગાંધીને રાહત મળ્યા બાદ પ્રિયંકા ગાંધીએ ખુશી વ્યક્ત કરી ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું કે, ‘ગૌતમ બુદ્ધે કહ્યું છે કે, ત્રણ વસ્તુઓ છુપાવી શકાતી નથી… સૂર્ય, ચંદ્રમા અને સત્ય… માનનીય સર્વોચ્ચ અદાલતને ન્યાયપૂર્વ નિર્ણય સંભળાવવા બદલ આભાર… સત્યમેવ જયતે…’

રાહુલ ગાંધીએ શું આપી પ્રતિક્રિયા

સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ મામલે રાહત આપ્યા બાદ કોંગ્રસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને લખ્યું હતું કે, ગમે તે થાય, મારું કર્તવ્ય એ જ રહેશે. ભારતના વિચારની રક્ષા કરવાનો…

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની 2 વર્ષની સજા સામે સ્ટે

ઉલ્લેખનિય છે કે, આજે સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ મામલે રાહુલ ગાંધીના પક્ષમાં મોટો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવવા અને તેમને સંભળાવાયેલી બે વર્ષની સજા સામે રોક લગાવી દીધી છે. મોદી સરનેમ માનહાનિ કેસમાં સુરતની નીચલી કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની સજા કરતાં તેમનું સાંસદ પદ પણ છીનવાઈ ગયું હતું.

સુપ્રીમકોર્ટે કહ્યું કે જ્યાં સુધી રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેમની દોષસિદ્ધી પણ રોક યથાવત્ રહેશે. સુપ્રીમકોર્ટે રાહુલ ગાંધીને સજા સંભળાવવા સામે પણ સવાલો ઊઠાવ્યા હતા. સુપ્રીમકોર્ટનો આ નિર્ણય રાહુલ ગાંધી, કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષી ગઠબંધન માટે અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે.

સુપ્રીમકોર્ટના આ ચુકાદાની સાથે જ હવે રાહુલ ગાંધી માટે સંસદના દ્વાર ખુલી ગયા છે. હવે રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ પણ બહાલ થવાનો માર્ગ મોકળો થયો છે. જો રાહુલનું સંસદ સભ્યપદ છીનવાઈ ગયા બાદ વાયનાડ સીટ પર પેટાચૂંટણી યોજાઈ ગઈ હોત તો તેમનું સભ્યપદ બહાલ ન થયું હોત. પણ અત્યાર સુધી વાયનાડ સીટ પર પેટાચૂંટણી યોજાઈ નથી.

સુપ્રીમકોર્ટના આ નિર્ણયની સાથે જ રાહુલ ગાંધી 2024ની ચૂંટણી લડવાની સંભાવનાઓ પર છવાયેલા સંકટના વાદળો ફંટાઈ ગયા છે. તેઓ હવે 2024ની લોકસભા ચૂંટણી લડી શકશે. જો સુપ્રીમકોર્ટે રાહુલની સજા અને દોષિત જાહેર કરવાના નીચલી કોર્ટના ચુકાદા પર રોક ન લગાવી હોત તો તે 2024ની લોકસભા ચૂંટણી ન લડી શક્યા હોત.

આ પણ વાંચો-રાહુલ ગાંધીની સજા પર સ્ટે મુક્યા બાદ જીગ્નેશ મેવાણીએ કહ્યું- ‘મેં જે કહ્યું તે કર્યું… માફી નહીં…’

Back to top button