ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડહેલ્થ

કોરોના બાદ વધુ એક ગંભીર રોગ જોવા મળ્યો જાપાનમાં, લક્ષણો આવ્યાના 48 કલાકમાં મૃત્યુ નક્કી

  • એશિયાઈ દેશ જાપાનમાં કોરોના પછી એવો રહસ્યમય રોગ ફેલાઈ રહ્યો છે કે લક્ષણો દેખાવાના 48 કલાકમાં દર્દીનું મૃત્યુ થઈ રહ્યું છે. WHO અને નિષ્ણાતો પણ ખૂબ ચિંતિત

જાપાન, 16 જૂન: પૂર્વ એશિયાઈ દેશ જાપાનમાં આ દિવસોમાં એક એવી દુર્લભ બીમારીની ઝપેટમાં આવી ગયું છે કે જો કોઈને આ બીમારી થાય તો મૃત્યુ નિશ્ચિત છે. દર્દી માત્ર 48 કલાકમાં મૃત્યુ પામે છે. ડોક્ટરોનું કહેવું છે કે આ રહસ્યમય રોગ માંસ ખાતા બેક્ટેરિયાથી ફેલાય રહ્યો છે. કોરોના પ્રતિબંધો હટાવ્યા બાદ દેશ ફરી એકવાર નવી બીમારીની ઝપેટમાં આવી ગયો છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફેક્શન ડિસીઝનું કહેવું છે કે તે 1999થી આ રહસ્યમય રોગ પર નજર રાખી રહ્યું છે. આ વર્ષે 2 જૂન સુધી જાપાનમાં આ રોગના 977 કેસ નોંધાયા છે, જ્યારે ગયા વર્ષે તેનો રેકોર્ડ 941 હતો. આ વર્ષે આ રોગ કહેર મચાવી રહ્યો છે. નિષ્ણાતોના મતે, તેને સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમ (STSS) નામ આપવામાં આવ્યું છે.

શું છે આ રાગના લક્ષણો અને કઈ ઉંમરના લોકોને કરે છે વધુ અસર?

આ રોગની શરૂઆત સામાન્ય રીતે સોજો અને ગળામાં દુખાવાથી થાય છે. પરંતુ કેટલાક પ્રકારના બેક્ટેરિયાના કારણે લક્ષણો વધુ ઝડપી ફેલાવવાનું શરુ કરી નાખે છે. જેમાં શરીરના ભાગોમાં દુખાવો અને સોજો, તાવ, લો બ્લડ પ્રેશરનો સમાવેશ થાય છે. શ્વાસ લેવામાં તકલીફ, અંગ નિષ્ફળતા અને પછી મૃત્યુ. ડૉક્ટર્સનું કહેવું છે કે 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં આ રોગ ફેલાવાનું જોખમ વધારે છે.

જો આ રોગ થઈ જાય તો દર્દીનું મૃત્યુ નક્કી

ટોક્યો વિમેન્સ મેડિકલ યુનિવર્સિટીના ચેપી રોગોના પ્રોફેસર કેન કિકુચીનું કહેવું છે કે, “આ રોગનો સૌથી મોટો ખતરો એ છે કે જો કોઈ પણ દર્દીને આ રોગ થાય છે તો તેનું મૃત્યુ 48 કલાકની અંદર થઈ શકે છે. તેની ગંભીરતા એ વાત પરથી નક્કી કરી શકાય છે કે જો દર્દીને સવાજે પગમાં સોજો આવે તો બપોર સુધીમાં તે ઘૂંટણ સુધી પહોંચી જાય છે અને 48 કલાકની અંદર તેનું મૃત્યુ થઈ શકે છે.”

હાથની સ્વછતા ખુબ જ જરુરી

કિકુચીનું કહેવું છે કે, ‘રોગના વર્તમાન દરને જોતા જાપાનમાં આ વર્ષે આવા કેસોની સંખ્યા 2,500 સુધી પહોંચી શકે છે. આમાં મૃત્યુ દર 30% હોઈ શકે છે, જે ખૂબ જ ડરામણો કહી શકાય. કિકુચીએ લોકોને હાથની સ્વચ્છતા જાળવવા અને ખુલ્લા ઘાની સારવારમાં બેદરકારી ન રાખવા વિનંતી કરી છે. આ બેક્ટેરિયા હાથ અને પછી ગંદકી દ્વારા શરીરની અંદર પ્રવેશી શકે છે.’

આ પણ વાંચો: દુબઈમાં સારી નોકરી અપાવવાના બહાને મહિલાને લઈ જવામાં આવી પછી…

Back to top button