વર્લ્ડ

બ્રિટન અને કેનેડા બાદ ફરી એકવાર બાંગ્લાદેશના હિન્દુ મંદિરમાં તોડફોડ !

Text To Speech
  • બાંગ્લાદેશમાં બ્રિટિશ જમાનાના હિન્દુ મંદિર પર હુમલો
  • દુર્ગા પૂજાના 24 કલાક બાદ બની ઘટના
  • કટ્ટરપંથીઓએ કાલી મંદિરની મૂર્તિ તોડી ભાગી ગયા
  • અડધો કિલોમીટર દૂરથી મૂર્તિનું માથું મળ્યું
  • પોલીસ આરોપીઓને શોધવા માટે તપાસ શરૂ કરી
  • આ હુમલો રાત્રે 3 થી 4 વાગ્યાની વચ્ચે થયો હતો

બાંગ્લાદેશ: બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંદુ મંદિરને નિશાનો બનાવવામાં આવ્યું છે. 7 ઓક્ટોબર શુક્રવારે કટ્ટરપંથીઓએ બ્રિટિશ સમયના કાલી મંદિરમાં ઘૂસીને કાલી માતાની મૂર્તિની તોડફોડ કરી હતી. મામલો ઝેનાઈદહ જિલ્લાના દૌતિયા ગામનો છે. આરોપીઓએ મૂર્તિનું માથું તોડી નાખ્યું હતું અને મંદિરથી અડધો કિલોમીટર દૂર ફેંકીને ભાગી ગયા હતા. પોલીસ દ્વારા આરોપીની તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

બ્રિટશ સમયથી બનાવેલા મહાકાળીનું મંદિર પ્રાચીન અને અદ્દભૂત છે પરંતુ દૂર્ગાઅષ્ટમીના એક દિવસ બાજ જ કેટલાક કટ્ટરપંથીઓએ અડધી રાત્રે મંહિરમાં તોડફોડ કહી હતી. આ હુમલો રાત્રે 3 થી 4 વાગ્યાની વચ્ચે થયો હતો. મંદિર સમિતિના પ્રમુખે જણાવ્યું હતું કે, અહીં કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી, તેથી હુમલાખોરોએ ડર્યા વિના મૂર્તિઓ તોડી નાંખી હતી. જોકે આ ઘટનામાં કોઈ વ્યક્તિને નુકસાન થયું નથી, પરંતુ લોકોની આસ્થાને ચોક્કસ રીતે ઠેસ પહોંચી છે. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે કટ્ટરપંથીઓએ મૂર્તિનું શિશ અડધો કિલોમીટર દૂર જઈ ફેંકી દીધું હતું.બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો પર હુમલો- humdekhengenewsશું છે સમગ્ર ઘટના ?

આ ઘટના 10 દિવસની દુર્ગા પૂજાના 24 કલાકની અંદર બની હતી. બાંગ્લાદેશ પૂજા સેલિબ્રેશન કાઉન્સિલના જનરલ સેક્રેટરી ચાંદનાથ પોદ્દારનું કહેવું છે કે આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે અગાઉ ગત વર્ષે પણ હિન્દુ મંદિર પર હુમલો થયો હતો. અને આ ઘટના દરમિયાન 3 લોકોના મોત થયા હતા.

 

ભૂતકાળમાં પણ હિન્દુ મંદિરો પર હુમલા થયા છે

મંદિરમાં ઘૂસી ધાર્મિક આસ્થાઓ સાથે ચેનચાળા અને તોડફોડની ઘટના પહેલીવાર નથી. આ પહેલા પણ અનેક વાર હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવી છે. બાંગ્લાદેશમાં ભૂતકાળમાં પણ હિંદુ મંદિરો પર હુમલા થયા છે. 30 ઓક્ટોબર 1990ના રોજ પણ અહીં હિંસા થઈ હતી, જેમાં ઘણા હિંદુઓ માર્યા ગયા હતા.

આ પણ વાંચો : અમેરિકાના ઓહાયોમાં ફૂટબોલ મેચ દરમિયાન ગોળીબાર, ત્રણ લોકો ઘાયલ 

બાંગ્લાદેશમાં હિંદુઓની કફોડી હાલત

બાંગ્લાદેશમાં હિંદુ ધર્મના મંદિરો તથા હિંદુઓના મકાનોને ટાર્ગેટ બનાવી તોડફોડ કરી અત્યાચારો કરવામાં આવી રહ્યા છે. સાથે જ ઇસ્કોન મંદિર ઉપર પણ હુમલો કરી ઇસ્કોન મંદિરના સાધુ-સંતો ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે. તેના કારણે હિંદુઓની સ્થિતિ બાંગ્લાદેશમાં કફોડી બની છે.

Back to top button