ટ્રેન્ડિંગનેશનલમીડિયા

રેલ પ્રવાસીઓ માટે ખુશ ખબર, એડવાન્સ ટિકિટ બુકિંગનો સમય ઘટ્યો; જાણો વિગતે

Text To Speech

નવી દિલ્હી, 17 ઓકટોબર  : ભારતીય રેલવે યાત્રી ટ્રેનોમાં બુકિંગનો સમય 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવાનો નિર્ણય કર્યો છે. રેલવેએ જણાવ્યું કે ટિકિટ બુકિંગનો નવો સમય 1 નવેમ્બર 2024થી લાગુ થશે. રેલવે બોર્ડના ડિરેક્ટર સંજય મનૌચાએ આ વિશે જાણકારી આપી હતી.

અગાઉ બુક કરેલી ટિકિટોનું શું થશે?
સંજય મનોચાએ કહ્યું કે, 120 દિવસની એઆરપી (એડવાન્સ રિઝર્વેશન પીરિયડ) હેઠળ 31 ઓકટોબર 2024 સુધી કરવામાં આવેલી બુકિંગ બરકરાર રહેશે. પરંતુ 60 દિવસ સિવાયની બુકિંગને કેન્સલ કરી શકાશે. તાજ એક્સપ્રેસ, ગોમતી એક્સપ્રેસ વગેરે જેવી કેટલીક દિવસની એક્સપ્રેસ ટ્રેનોના કિસ્સામાં કોઈ ફેરફાર થશે નહીં, જ્યાં એડવાન્સ રિઝર્વેશન માટેની નીચી મર્યાદા પહેલેથી જ છે. વિદેશી પ્રવાસીઓ માટે 365 દિવસની મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

નવા અને જૂના નિયમોને ઉદાહરણો સાથે સમજો
ઉલ્લેખનીય છે કે લાંબા અંતર માટે અથવા લગ્ન, તહેવાર, પરીક્ષા વગેરે જેવા કોઈ ખાસ હેતુ માટે ટ્રેનમાં મુસાફરી કરતા લોકો કન્ફર્મ સીટ મેળવવા માટે 4 મહિના પહેલા ટ્રેનમાં સીટ બુક કરાવતા હતા. પરંતુ હવે આ શક્ય બનશે નહીં. નવા નિયમ પછી, રેલ્વે મુસાફરો ફક્ત 2 મહિનાની મહત્તમ મર્યાદામાં જ ટ્રેનોમાં સીટ બુક કરી શકશે.

ઉદાહરણ તરીકે, જૂના નિયમ મુજબ, જો તમારે 1 મે, 2025ના રોજ ચાલતી ટ્રેનની ટિકિટ બુક કરાવવી હોય, તો તમે 120 દિવસ અગાઉ એટલે કે 1 જાન્યુઆરી, 2025ના રોજ ટિકિટ બુક કરાવી શક્યા હોત. પરંતુ હવે નવા નિયમના અમલ પછી, જો તમે 1 મે, 2025 ના રોજ ચાલતી ટ્રેનમાં ટિકિટ બુક કરાવવા માંગતા હો, તો હવે તમે મહત્તમ 60 દિવસ અગાઉ એટલે કે 2 માર્ચે ટિકિટ બુક કરી શકશો.

આ પણ વાંચો : સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ લોરેન્સ બિશ્નોઈનો ફોન નંબર માંગ્યો, જાણો શું કરી ઓફર?

Back to top button