બિઝનેસવિશેષ

અદાણી-હિંડનબર્ગ વિવાદ : સુપ્રીમ કોર્ટે સેબીને તપાસ માટે 6 મહિના નહી પરંતુ આટલો સમય આપ્યો

Text To Speech

અદાણી ગ્રુપ-હિંડનબર્ગ રિપોર્ટ વિવાદમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ તેની તપાસ પૂર્ણ કરવા માટે છ મહિનાનો વધારાનો સમય માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટે સેબીને કહ્યું- અમે તપાસનો સમય વધારીશું, છ મહિના નહીં. અમે ત્રણ મહિનાનો સમય આપીએ છીએ. આ સમયગાળામાં તપાસ પૂર્ણ કરો. આ મામલે વધુ સુનાવણી 15મી મેના રોજ થશે.

ચાર જાહેર હિતની અરજીઓ દાખલ

જણાવી દઈએ કે, 8 મેના રોજ તપાસ સમિતિએ બંધ પરબિડીયામાં પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. ચીફ જસ્ટિસે કહ્યું કે જસ્ટિસ સપ્રેની કમિટિનો રિપોર્ટ આવી ગયો છે. અમે સપ્તાહના અંતે આ અહેવાલ આપીશું. આ એપિસોડમાં ચાર જાહેર હિતની અરજીઓ દાખલ કરવામાં આવી હતી. એડવોકેટ એમએલ શર્મા, વિશાલ તિવારી, કોંગ્રેસ નેતા જયા ઠાકુર અને સામાજિક કાર્યકર મુકેશ કુમારે અરજી દાખલ કરી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બેન્ચે 10 ફેબ્રુઆરીના રોજ આ મામલાની પહેલી સુનાવણી કરી હતી.

હિંડનબર્ગ - Humdekhengenews

15 મેના રોજ સુનાવણી થશે

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે કહ્યું કે કોર્ટની રજિસ્ટ્રીને આ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત જસ્ટિસ (નિવૃત્ત) એએમ સપ્રે કમિટિનો રિપોર્ટ મળ્યો છે અને તે કમિટીના તારણો પર ધ્યાન આપશે. ત્યારપછી સોમવારે આ મામલે સુનાવણી હાથ ધરાશે. તેમણે કહ્યું, “અમે આ દરમિયાન રિપોર્ટનો અભ્યાસ કરીશું. અમે આ મામલે 15 મેના રોજ સુનાવણી કરીશું.” સુનાવણી દરમિયાન, ખંડપીઠે સેબી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું કે, તે સ્ટોક મેનીપ્યુલેશનના આરોપોની તપાસ પૂર્ણ કરવા માટે માર્કેટ રેગ્યુલેટરને છ મહિનાને બદલે ત્રણ મહિનાનો સમય આપી શકે છે.

સુપ્રીમ કોર્ટે 2 માર્ચે સમિતિની કરી હતી રચના

અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે 2 માર્ચે સમિતિની રચના કરી હતી. ભૂતપૂર્વ ન્યાયાધીશ અભય મનોહર સપ્રે 6 સભ્યોની સમિતિના અધ્યક્ષ છે. સુપ્રીમ કોર્ટે સેબીને બે મહિનામાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આ પણ વાંચો : 68 ન્યાયિક અધિકારીઓની બઢતી પર રોક | કાળઝાળ ગરમીમાં મળશે આંશિક રાહત | CBSE ધોરણ 12નું પરિણામ જાહેર

Back to top button