ટોપ ન્યૂઝબિઝનેસ

અદાણી ગ્રુપે રોકાણકારો માટે કરી આ મોટી વાત, જાણો શું કહ્યું…

Text To Speech

અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ પર ફસાયેલ અદાણી ગૃપ તેના રોકાણકારોનો કંપનીમાં વિશ્વાસ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. ગતરોજ અદાણી ગૃપે રોકાણકારોને ખાતરી આપી હતી કે તેની બેલેન્સ શીટ સારી સ્થિતિમાં છે. રોકાણકારો સાથે ચર્ચા દરમિયાન ગ્રુપના CFOનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેની માર્કેટ કેપ અડધાથી વધુ ઘટી ગઈ છે.

આ પણ વાંચો : ત્રિપુરા ચૂંટણી 2023 : આજે પ્રથમ તબક્કાનું મતદાન, 259 ઉમેદવારોના ભાવિ થશે EVMમાં કેદ

બુધવારે શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન અદાણી ગ્રૂપના ચાર શેર ફરી નીચલી સર્કિટમાં આવ્યા હતા, પરંતુ અન્ય કંપનીઓના શેર ગ્રીન ઝોન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. દરમિયાન કંપનીએ બેલેન્સ શીટને ઠીક કરવાની વાત કરી અને કહેવામાં આવ્યું કે હિંડનબર્ગની અસર હોવા છતાં તેમનું સંપૂર્ણ ધ્યાન જૂથના વ્યવસાયની ગતિ જાળવી રાખવા પર છે.

અદાણી ગૃપ - Humdekhengenews

જ્યારે બજાર સ્થિર થશે ત્યારે સમીક્ષા કરશે

અદાણી ગ્રુપ તેના રોકાણકારોનો વિશ્વાસ જીતવા અને જાળવી રાખવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. અદાણી જૂથ દ્વારા રોકાણકારો સાથે વાતચીત કરવા માટે કેટલીક બેંકોની નિમણૂક કરવામાં આવી છે. આની મદદથી તેઓ રોકાણકારોના મનમાં ઉદ્ભવતા પ્રશ્નોના જવાબ સરળતાથી મેળવી શકે છે. અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશન વતી, બેન્કો આવતા અઠવાડિયે નિશ્ચિત આવકના રોકાણકારોની ચર્ચા કરવા માટે એક બેઠકનું આયોજન કરી રહી છે.

આ પણ વાંચો : Video: તાલિબાનોએ પાકિસ્તાનના ગામ પર કબજો કર્યો, પાકિસ્તાની પોલીસ અને સેના ડરીને ભાગી

PTIના મતે અદાણી ગ્રુપના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર જુગશિન્દર રોબી સિંઘે ત્રિમાસિક પરિણામો પછી રોકાણકારો સાથે ચર્ચા કરતી વખતે તેમને ખાતરી આપી હતી. તેમણે કહ્યું, ‘અમારી પાસે પૂરતી રોકડ છે અને અમારી પાસે અમારી લોન ચૂકવવાની ક્ષમતા છે.’ સિંઘે વધુમાં જણાવ્યું હતું કે એકવાર વર્તમાન બજાર સ્થિર થઈ જાય પછી અમે અમારી મૂડી બજાર વ્યૂહરચનાની ફરી સમીક્ષા કરીશું. તેમણે ખાતરી આપી હતી કે અમારું ધ્યાન બજારના ઉતાર-ચઢાવમાં વેપારની ગતિ ચાલુ રાખવા પર છે.

Back to top button