ટ્રેન્ડિંગમનોરંજન

સુશાંત સિંહ રાજપૂતના ઘરમાં શિફ્ટ થયેલી અદા શર્માએ બનાવ્યું મંદિર, કહ્યું, અહીં આવીને…

Text To Speech
  • સુશાંતનું નિધન જે એપાર્ટમેન્ટમાં થયું હતું, તે લાંબા સમયથી ખાલી હતું. લોકો જાત જાતના અંધવિશ્વાસ ફેલાવી રહ્યા હતા, પરંતુ અદા શર્માએ કહ્યું કે તેને ત્યાં જઈને બધું પોઝિટીવ લાગ્યું છે

3 મે, મુંબઈઃ અદા શર્મા સુશાંત સિંહ રાજપૂતના ઘરમાં શિફ્ટ થઈ ચૂકી છે, એ વાત તો સૌ જાણે છે. જોકે તેણે લાંબા સમય સુધી આ વાત લોકો સામે આવવા દીધી ન હતી. સુશાંતનું નિધન જે એપાર્ટમેન્ટમાં થયું હતું, તે લાંબા સમયથી ખાલી હતું. લોકો જાત જાતના અંધવિશ્વાસ ફેલાવી રહ્યા હતા, પરંતુ અદા શર્માએ કહ્યું કે તેને ત્યાં જઈને બધું પોઝિટીવ લાગ્યું છે. અદાએ કહ્યું કે ઘરે પહોંચ્યા બાદ તેણે ત્યાં શું ચેન્જિસ કરાવ્યા?

સુશાંત સિંહ રાજપૂતના ઘરમાં શિફ્ટ થયેલી અદા શર્માએ બનાવ્યું મંદિર, કહ્યું, અહીં આવીને... hum dekhenge news

ઘરમાં બનાવડાવ્યુ મંદિર

અદાએ એક ઈન્ટરવ્યૂમાં વાત કરતા કહ્યું કે તે ચાર મહિના પહેલા તે ફ્લેટમાં શિફ્ટ થઈ ચૂકી છે. તે ફિલ્મો પ્રમોટ કરી રહી હતી તો સમય ન મળ્યો. હવે ફાઈનલી સેટલ થઈ ચૂકી છે. અદાએ જણાવ્યું કે તેણે નવા ઘરનો મેકઓવર કરાવ્યો છે. તેણે તેનું આખું ઘર સફેદ કલરથી પેઈન્ટ કરાવ્યું છે અને પહેલા ફ્લોર પર મંદિર બનાવ્યું છે. ટોપ ફ્લોર પર એક રૂમને મ્યૂઝિક રૂમ બનાવ્યો છે અને એક રૂમમાં ડાન્સ સ્ટુડિયો બનાવડાવ્ચો છે. ટેરેસને ગાર્ડન બનાવી લીધું છે. જેમાં તે પોતાના જૂના ઘરના બધા પ્લાન્ટ્સ લઈને આવી છે.

છઠ્ઠા ફ્લોર પર રહેતો હતો સુશાંત

અદાએ કહ્યું કે તેને ઘરમાં પોઝિટીવ વાઈબ્સ આવી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂત મોન્ટ બ્લાંક એપાર્ટમેન્ટમાં છઠ્ઠા ફ્લોર પર રહેતો હતો. તેણે રેન્ટ પર ડુપલેક્સ લીધું હતું. આ ઘરનું માસિક ભઆડુ 4.51 લાખ રૂપિયા હતું. જૂન 2020માં સુશાંતનું શરીર પંખે લટકતું મળી આવ્યું હતું. તેના મૃત્યુ બાદ આ ફ્લેટને કોઈ ભાડે લેવા ઈચ્છતું ન હતું.

આ પણ વાંચોઃ 93 વર્ષીય રૂપર્ટ મર્ડોક પાંચમી વખત બન્યા વરરાજા! જાણો કોણ છે નવવધૂ?

Back to top button