ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

ક્રુઝ ડ્રગ્સ કેસઃ સમીર વાનખેડે સામે સકંજો, મોટી કાર્યવાહીની તૈયારી

Text To Speech

ડ્રગ્સ કેસમાં અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન વિરુદ્ધ કાર્યવાહી કરનાર ઓફિસર સમીર વાનખેડે હવે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. સમીર વાનખેડે સામે મોટી કાર્યવાહીની તૈયારી ચાલી રહી છે. સરકારે ખોટી તપાસ માટે સમીર વાનખેડે સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે સમીર વાનખેડે વિરુદ્ધ ખોટી તપાસને લઈ કાર્યવાહી કરવામાં આવે. સમીર વાનખેડેને પહેલા જ NCBમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. તેઓ હાલમાં ડીઆરઆઈ અધિકારી છે. મહત્વનું છે કે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં આજે ક્લીનચીટ આપવામાં આવી છે.

મોટી કાર્યવાહીની તૈયારી

આર્યન વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી-NCB
NCB ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સંજય કુમાર સિંહ વતી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ મામલાની નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવી છે. આ તપાસ શંકા કરતાં પુરાવાના સિદ્ધાંતના આધારે કરવામાં આવી છે. તપાસના આધારે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ 14 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, જ્યારે બાકીના 6 આરોપીઓ વિરુદ્ધ પુરાવાના અભાવે કોઈ કેસ નોંધવામાં આવી રહ્યો નથી. આર્યન ખાન પણ એવા લોકોમાં સામેલ છે જેમની સામે કોઈ કેસ નોંધાયો નથી.

ક્રુઝ ડ્રગ્સ કેસ

જણાવી દઈએ કે આર્યન ખાનને NCBએ 2 ઓક્ટોબર 2021ના રોજ મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝમાંથી પકડ્યો હતો. બીજા દિવસે એટલે કે 3 ઓક્ટોબરના રોજ, NCBએ આર્યન ખાન અને તેના મિત્ર અરબાઝ મર્ચન્ટની વિરુદ્ધ કેસ નોંધીને ધરપકડ કરી હતી. આ કેસમાં આર્યન ખાનને પણ લગભગ 27 દિવસ આર્થર રોડ જેલમાં રહેવું પડ્યું હતું. આજે એનસીબીએ આર્યન ખાનને ક્લીનચીટ આપી છે. એનસીબી ડીજીએ સ્વીકાર્યું કે આર્યન ખાન કેસમાં સમીર વાનખેડેની ટીમ દ્વારા ભૂલો થઈ હતી.

આર્યન ખાન 30 ઓક્ટોબરે જેલમાંથી મુક્ત થયો હતો
. NCB દ્વારા આર્યન ખાન પર ડ્રગ્સનું સેવન કરવાનો અને આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગમાં સામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જે બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી અને તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાનને 30 ઓક્ટોબરે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

Back to top button