ગુજરાતટોપ ન્યૂઝ

અંબાજીમાં મોહનથાળના પ્રસાદમાં નકલી ઘી કેસના આરોપીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Text To Speech
  • મોહનથાળ પ્રસાદ નકલી ઘી કેસમાં એક મોટો વળાંક સામે આવ્યો
  • હાજર થયેલા આરોપી દુષ્યંત સોનીએ પૂછપરછમાં ખુલાસો કર્યો
  • હવે પોલીસ તપાસમાં નવું નામ સામે આવ્યું છે

અંબાજીમાં મોહનથાળના પ્રસાદમાં નકલી ઘી કેસના આરોપીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં દુષ્યંત સોનીએ નવું નામ લીધુ છે. તેમાં અલ્પેશ નામના માણસ પાસેથી ઘી ખરીદ્યું હોવાનું જણાવ્યું છે. જેમાં હવે પોલીસ તપાસમાં નવું નામ સામે આવ્યું છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ST બસ પલટી, 40 પેસેન્જર ઈજાગ્રસ્ત, 2ની હાલત ગંભીર

હાજર થયેલા આરોપી દુષ્યંત સોનીએ પૂછપરછમાં ખુલાસો કર્યો

અંબાજી મોહનથાળ પ્રસાદ નકલી ઘી કેસમાં એક મોટો વળાંક સામે આવ્યો છે. અંબાજી પોલીસ સમક્ષ રૂબરૂમાં હાજર થયેલા આરોપી દુષ્યંત સોનીએ પૂછપરછમાં ખુલાસો કર્યો છે કે આ નકલી ઘીનો જથ્થો તેણે પણ એક અન્ય વ્યક્તિ પાસેથી ખરીદ્યો હતો. સૂત્રોની જાણકારી અનુસાર આ વ્યક્તિનું નામ અલ્પેશ હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી આ કેસના મુખ્ય સૂત્રધાર માનવામાં આવતા દુષ્યંત સોનીએ તેની ઉલટતપાસ દરમિયાન એક નવા શખ્સના નામનો ખુલાસો કર્યો હોવાનું સામે આવ્યું છે. એવું જણાવાઈ રહ્યું છે કે દુષ્યંત સોનીએ તેની તપાસ દરમિયાન અલ્પેશ નામના વ્યક્તિનું નામ લીધું હતું, અને જણાવ્યું હતું કે આ ઘીનો પુરવઠો તેણે અલ્પેશ નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યો હતો.

આ પણ વાંચો: નવરાત્રીમાં યાત્રાધામ પાવાગઢ ખાતે પહેલાં નોરતે 2.5 લાખ ભક્તોએ દર્શન કર્યા 

અંબાજી પોલીસની કામગીરી જ શંકાના ઘેરામાં

આ કેસની ફરિયાદ નોંધાઈ છે, ત્યારથી અંબાજી પોલીસની કામગીરી જ શંકાના ઘેરામાં રહી છે. એક તો 25 દિવસ પછી પોલીસે પહેલી ધરપકડ કરી હતી, જેમાં પણ મોહિની કેટરર્સના 4 લોકો અને નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહને તાત્કાલિક જામીન પણ મળી ગયા હતા. આ ઉપરાંત લાંબા સમયથી જેને મુખ્ય સૂત્રધાર તરીકે દર્શાવાયેલો તે દુષ્યંત સોની પણ પોલીસની પકડથી દૂર હતો અને તે પોતે નાટ્યાત્મક રીતે પોલીસ સમક્ષ હાજર થઈ સરેન્ડર થયો હતો. આ ઉપરાંત હવે દુષ્યંત સોની પોતે તપાસમાં એવું કહે છે કે આ નકલી ઘીમાં તે આરોપી ન હોઈ અલ્પેશ નામનો શખ્સ તેમાં સંબંધિત છે અને આ ઘીનો જથ્થો અલ્પેશ પાસેથી ખરીદાઈને તેની સુધી પહોંચ્યો હતો.

Back to top button