અમદાવાદગુજરાત

અમદાવાદ સિવિલમાં દિવાળીના પાંચ દિવસમાં 12 હજાર જેટલા દર્દીઓને સારવાર અપાઈ

Text To Speech
  • 9000 જેટલા દર્દીઓએ O.P.D. અને 3000 દર્દીઓએ ઇમરજન્સી O.P.D.નો લાભ લીધો
  • 5,000 થી વધારે X-RAY, 200 CT SCAN, 50થી વધારે MRI અને 1500 સોનોગ્રાફી કરાઈ
  • 650 જેટલી મેજર અને માઇનોર સર્જરી સફળતાપૂર્વક પાર પાડી

અમદાવાદઃ (Ahmedabad)દિવાળીમાં જ્યાં સમગ્ર દેશ ખુશીયોના માહોલમાં સમગ્ર પરિવારજનો સાથે ઉજવણી કરી રહ્યો હતો ત્યાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સારવાર કરીને તહેવારની ઉજવણી કરી હતી. (Civil hospital)અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્વાસ્થ્ય કર્મીઓએ સમગ્ર (Doctor duty) પરિસરમાં સ્વાસ્થ્યની જાગૃકતાને લગતા સંદેશા આપતી નયનરમ્ય રંગોળી કરીને હોસ્પિટલના વિવિધ વોર્ડ્સને સુશોભિત કરી અને દર્દીઓ સાથે દિવાળી ઉજવી હતી.

1400 જેટલા દર્દીઓને દાખલ કરીને સારવાર અપાઈ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 10મી નવેમ્બરથી 15 નવેમ્બર સુધીના સમયગાળા દરમિયાન અંદાજીત 9,000 જેટલા દર્દીઓએ ઓ.પી.ડી. સેવાનો લાભ લીધો હતો.
જ્યારે 3,000થી વધારે લોકોએ ઈમરજન્સી ઓ.પી.ડી.નો પણ લાભ લીધો હતો. જેમાંથી 1400 જેટલા દર્દીઓને દાખલ કરીને સારવાર આપવાની ફરજ પડી હતી.
આ દર્દીઓમાંથી માત્ર 30 લોકોને ફટાકડાથી દાઝી જવાથી હોસ્પિટલ આવવું પડ્યું જેમાંથી પાંચ દર્દીને દાખલ કરવાની ફરજ પડી હતી.

650 જેટલી મેજર અને માઇનોર સર્જરી કરી
સિવિલ હોસ્પિટલમાં આ પાંચ દિવસોમાં 5,000થી વધારે X-RAY, 200 CT SCAN, 50થી વધારે MRI અને 1500 જેટલા દર્દીઓની સફળ સોનોગ્રાફી કરવામાં આવી હતી.સિવિલ હોસ્પિટલના તબીબોએ 650 જેટલી મેજર અને માઇનોર સર્જરી સફળતાપૂર્વક પાર પાડી હતી.સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશીએ જણાવ્યું હતું કે,પ્રકાશના આ મહાપર્વમાં પીડિતને પીડામુક્ત કરવું એ જ સિવિલ હોસ્પિટલના તબીબોનો ધ્યેયમંત્ર રહ્યો છે. જેને સર્વે લોકોએ એકજૂટ થઇને સુપેરે નિભાવીને માનવતા સાથે કર્તવ્યનિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

Back to top button