આમિર ખાનનું દમદાર કમબેકઃ ‘લાલ સિંહ ચઢ્ઢા’ હવે આ ફિલ્મથી કરશે વાપસી


- હવે અમે આમિર ખાનના ચાહકો માટે એક સારા સમાચાર લઈને આવ્યા છે. આમિર ખાનનું દમદાર કમબેક થવા જઈ રહ્યું છે. અભિનેતા ટૂંક સમયમાં જ અભિનયમાં પરત ફરી રહ્યો છે.
મુંબઈ, 28 ફેબ્રુઆરીઃ વર્ષ 2022માં આવેલી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ બાદથી આમિર ખાન સ્ક્રીન પરથી ગાયબ છે. આ ફિલ્મ ફ્લોપ થયા પછી, અભિનેતાએ અભિનયમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે નિર્માતા તરીકે વધુ સક્રિય રહેશે અને અભિનય કરતો ઓછો જોવા મળશે, પરંતુ હવે અમે આમિર ખાનના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે. આમિર ખાનનું દમદાર કમબેક થવા જઈ રહ્યું છે. અભિનેતા ટૂંક સમયમાં જ અભિનયમાં પરત ફરી રહ્યો છે. તેણે પોતે એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે.
આ ફિલ્મથી આમિર કરશે કમબેક
હાલમાં આમિર ખાન તેની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું નિર્દેશન તેની પૂર્વ પત્ની કિરણ રાવે કર્યું છે. આમિર ખાન ફિલ્મના નિર્માતા છે. આ ફિલ્મ 1 માર્ચે રિલીઝ થઈ રહી છે. આવી સ્થિતિમાં આમિર અને કિરણ જોરશોરથી આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન એક વાતચીતમાં આમિર ખાને ખુલાસો કર્યો હતો કે તે ફરીથી મોટા પડદે એક્ટિંગ કરતો જોવા મળશે. આમિરે જણાવ્યું કે અભિનેતા આ વર્ષ એટલે કે 2024ના અંતમાં પોતે એક નવી ફિલ્મ લઈને આવી રહ્યો છે, જેનું નામ છે ‘સિતારે જમીન પર’.
આ ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થશે
આ વિશે વધુ વાત કરતાં આમિરે કહ્યું કે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે, અમે તેને વર્ષના અંતમાં એટલે કે ક્રિસમસ સુધીમાં રિલીઝ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, આ ફિલ્મ ખૂબ જ મનોરંજક બનવાની છે. આમિરની આ જાહેરાત બાદ ફેન્સમાં તેને ફરીથી સ્ક્રીન પર જોવાની ઉત્સુકતા વધી ગઈ છે. તે જ સમયે, આમિર ખાને એ પણ ખુલાસો કર્યો કે ‘સિતારે જમીન પર’માં લીડ એક્ટર તરીકે દેખાતા પહેલા તે અન્ય ફિલ્મોમાં જોવા મળશે, પરંતુ તેમાં લીડ રોલમાં નહીં હોય.
આ પણ વાંચોઃ શું અંબાણીનો પરિવાર હવે રાજકારણમાં આવશે? અનંતે કહ્યું…