ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આમ આદમી પાર્ટી પણ ઈન્ડી ગઠબંધનને કરશે બાયબાય?

  • AAP ઈન્ડી ગઠબંધનનો ભાગ હોવા છતાં પોતાની રીતે બેઠકો નક્કી કરી રહ્યું છે
  • 13 ફેબ્રુઆરીના રોજ AAP પીએસીની કરશે બેઠક, બેઠકમાં ગુજરાત, હરિયાણા અને ગોવાની લોકસભા બેઠકો માટે નક્કી કરશે ઉમેદવાર

દિલ્હી, 9 ફેબ્રુઆરી: આમ આદમી પાર્ટીની પીએસીની બેઠક 13 ફેબ્રુઆરીએ યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ગોવા, હરિયાણા અને ગુજરાતની લોકસભા બેઠકોના ઉમેદવારો નક્કી કરવામાં આવશે. AAP પહેલાથી જ ગુજરાતની એક સીટ પર તેના ઉમેદવાર જાહેર કરી ચૂકી છે અને ગઈકાલે આસામની 3 સીટો પર તેના ઉમેદવારોની જાહેરાત કરી હતી અને ઈન્ડી ગઠબંધનને સમર્થન આપવા કહ્યું હતું. હવે AAP પીએસીની બેઠકમાં 3 રાજ્યો- ગોવા, હરિયાણા અને ગુજરાત અંગે નિર્ણય લેવા જઈ રહી છે. એટલું જ નહીં કેજરીવાલની પાર્ટી પંજાબ વિશે પહેલેથી જ કહી રહી છે કે, ‘આપ પંજાબમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે.’

AAP ઈન્ડી ગઠબંધનના નિર્ણય લેવામાં વિલંબથી નારાજ

તેથી, સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, આમ આદમી પાર્ટી હવે ઈન્ડી ગઠબંધનમાં માત્ર નામ પુરતી જ રહી છે. એટલું જ નહીં, રાજ્યસભાના સાંસદ અને AAPના સંગઠન મહાસચિવ સંદીપ પાઠક ગઠબંધનમાં નિર્ણય લેવામાં વિલંબ પર નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. સંદીપ પાઠકે ગઈ કાલે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ચૂંટણી ખૂબ નજીક છે. ક્યાં સુધી આપણે માત્ર સભાઓ જ કરતા રહીશું? જો તમારે ચૂંટણી લડવી હોય તો તમારે કામ કરવું પડશે અને તેના માટે ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.

અમારી પાસે રાહ જોવાનો સમય નથી: AAP

પાઠકે AAP હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે હવે લોકસભા ચૂંટણી માટે બહુ ઓછો સમય રહ્યો છે, જે પણ કરવું છે એ હવે બધું ઝડપથી થઈ જવું જોઈએ. કેટલાય મહિનાઓથી વાતચીત ચાલી રહી છે પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. આપણે ચૂંટણી લડવાની છે અને જીતવાની છે. તેમણે કહ્યું, “લોકસભાની ચૂંટણી ખૂબ નજીક છે. અમારે સખત મહેનત કરવી પડશે અને ચૂંટણીની તૈયારી માટે ઘણું કામ કરવું પડશે. અમારી પાસે એટલો સમય નથી. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તૈયારીઓનો સમય પણ ઘટી રહ્યો છે.

દિલ્હી અને પંજાબમાં સીટની વહેંચણી પર વિવાદ

AAPના સંગઠન મહાસચિવે કહ્યું, “અમે મોદી સરકાર સામેની લડાઈમાં વિપક્ષી પાર્ટીઓના ઈન્ડી ગઠબંધન સાથે છીએ. ગઠબંધન અંગેના તમામ નિર્ણયો તાત્કાલિક લેવા જોઈએ.” અગાઉ, AAP નેતાઓએ કહ્યું હતું કે પાર્ટી દિલ્હી, પંજાબ, હરિયાણા, ગુજરાત અને ગોવામાં બેઠકોની વહેંચણી પર કોંગ્રેસ સાથે વાતચીત કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે દિલ્હી અને પંજાબમાં સીટ વહેંચણીને લઈને AAP અને કોંગ્રેસ વચ્ચે વાતચીત અટકી છે. જો કે, બંને પક્ષોના રાજ્ય એકમો પંજાબમાં કોઈપણ જોડાણની તરફેણમાં નથી, સૂત્રોએ જણાવ્યું કે દિલ્હીમાં AAP નેતાઓ લોકસભા ચૂંટણી માટે સીટ શેરિંગ ફોર્મ્યુલા પર મૌન જાળવી રહ્યા છે.

આ પણ વાંચો: શું ભાજપ આગામી લોકસભા ચૂંટણી અમેરિકાથી પણ લડશે?

Back to top button