ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

હિંમતનગર તરફથી અમદાવાદ જઈ રહેલ ટ્રેને યુવકને અડફેટે લેતા મોત

Text To Speech
  • ટ્રેનની અડફેટે આવતાં વધુ એક યુવકનું મોત થયું છે, યુવકનું ધ્યાન મોબાઈલમાં હોવાનું સામે આવ્યું છે.

ટ્રેને લીધો યુવકનો જીવ: રાજ્યમાં અકસ્માતોના આંકડા દિવસેને દિવસે વધતા જઈ રહ્યાં છે, ત્યારે વધુ એક ટ્રેન અકસ્માતનો બનાવ દહેગામમાં બન્યો છે. હિંમતનગર તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ ટ્રેને યુવકને અડફેટે લેતા યુવકનું મોત નિપજ્યું છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી પ્રમાણે દહેગામ નજીકના ચાપલપુર પાસેથી પસાર થઈ રહેલ અને હિંમતનગર તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ ટ્રેન નીચે અજાણ્યો યુવક આવી જતા તેનું મૃત્યુ થવા પામ્યું છે. બે ધ્યાન યુવકને વાગેલ ટ્રેનની ટક્કર એટલી ભયાનક હતી કે તે ટ્રેક પરથી દૂર ફંગોળાઈ ગયો હતો.

અકસ્માત થવાનું કારણ આવ્યું સામે: ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર આ યુવક કાનમાં ઈયરફોન લગાડી રેલવે ટ્રેક પર ચાલી રહ્યો હતો તે દરમિયાન પાછળથી આવી રહેલ ટ્રેન પર તેનું ધ્યાન ન રહેતા સ્પીડમાં આવી રહેલી ટ્રેનની નીચે આવી જતા તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું.

કયાંનો હતો યુવક?: મળીતી પ્રાથમિક માહિતી મુજબ આ યુવક નજીકની કોઈ ફેક્ટરીમાં કામ કરતો કારીગર હોવાનું જાણવા મળેલ છે. બનાવની જાણ થતા જ ઘટના સ્થળે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. સ્થળ પર પહોંચેલી રેલવે પોલીસે મૃતદેહનો કબજો લઈ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદના પ્રતિષ્ઠિત બિલ્ડર સામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ થઇ

Back to top button