ગુજરાતટ્રેન્ડિંગ

આણંદમાં બ્રિજ પર બેફામ કાર ચાલકે બાઈક સવાર યુવાનને કચડી નાખ્યો

Text To Speech
  • પુરઝડપે આવેલી એક કારે બાઈકને ટક્કર મારતા 3 યુવકો રોડ પર પટકાયા
  • એક યુવકનું કરમસદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું
  • અકસ્માત અંગે આણંદ શહેર પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી

આણંદમાં બ્રિજ પર બેફામ કાર ચાલકે બાઈક સવાર યુવાને કચડી નાખ્યો છે. જેમાં શહેરના ભાલેજ બ્રિજ પર કારની ટક્કરે યુવકનું મોત થયુ છે. ભાલેજ બ્રિજ પર મોડી રાત્રે કારે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર ત્રણ યુવકોને ઈજા પહોંચી હતી.

એક યુવકનું કરમસદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું

ત્રણ યુવકોમાંથી એક યુવકનું કરમસદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આણંદના ઈસ્માઈલનગર વિસ્તારમાં રહેતા અને સિલાઈ કામ કરતા દિલકશરજા મહંમદઈર્શાદ શેખ પોતાની સાથે દુકાનમાં કામ કરતા મહંમદઅલ્તાફ મહંમદરજાઉલ શેખ અને મહંમદસમીર સાદીરહુસેન શેખ સાથે મોડી રાત્રે દુકાનનું કામકાજ પુરું કરી બાઈક પર ઘરે જઈ રહ્યા હતા.

પુરઝડપે આવેલી એક કારે બાઈકને ટક્કર મારતા 3 યુવકો રોડ પર પટકાયા

ત્યારે ભાલેજ ઓવરબ્રિજ પર સામેથી પુરઝડપે આવેલી એક કારે બાઈકને ટક્કર મારતા 3 યુવકો રોડ પર પટકાયા હતા. અકસ્માતને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ત્રણેય ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મહંમદઅલ્તાફનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે આણંદ શહેર પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: ગુજરાત: રૂપાલના વરદાયિની માતાજી મંદિરે આજે પલ્લીનો મેળો, ઘીની નદીઓ વહેશે

Back to top button