ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરતમાં હંસ આર્ટ સાથે સંકળાયેલી સંસ્થાની અનોખી પહેલ, દિવાળી ગિફ્ટ માટે બનાવ્યા રામ મંદિરના મોડલ

  • દિવાળીની ગિફ્ટમાં આ વખતે સ્નેહીજનોને આપો રામ મંદિર
  • ગુજરાતની સંસ્થાએ કરી અનોખી પહેલ

આગામી દિવસોમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ જશે. જેથી તેને જાન્યુઆરીમાં ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે. ત્યારે આ બધા વચ્ચે ગુજરાતની એક સેવાભાવી સંસ્થા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં તેમણે દિવાળીના તહેવારને ખાસ બનાવવા માટે રામ મંદિર મોડલનો સહારો લીધો છે.

દિવાળીમાં સ્નેહ અને સંબંધીઓને ખાસ ગિફ્ટ
પ્રાપ્ત વિગતો અનુસાર,દિવાળી હિન્દુ સંસ્કૃતિમા ખાસ મહત્વ ધરાવતો તહેવાર છે, હિન્દુઓ દિવાળીમાં સ્નેહ અને સંબંધીઓને ખાસ ગિફ્ટ પણ આપે છે. આ ગિફ્ટ આ વખતે રામ મંદિર મૉડલ તરીકેની દરેકના હાથમાં પહોંચે તે માટે સુરતની હંસ આર્ટ સેવાભાવી સંસ્થાએ ખાસ પહેલ કરી છે. તેના સર્જક પરેશ પટેલે આ મોડલને દિવાળીની ભેટ તરીકે તૈયાર કરી છે. આ દિવાળીએ ભેટ તરીકે તૈયાર કરવામાં આવી રહી છે.

પીએમ મોદીએ રામ મંદિરનું સ્વપ્ન સાકાર કર્યું
રામ મંદિર મૉડલની ગિફ્ટ અંગે વાત કરતાં હંસ આર્ટના પરેશ પટેલ કહે છે, “અમારી સંસ્થા બર્ડહાઉસ બનાવે છે અને પક્ષીઓને બચાવવા ઝુંબેશ ચલાવે છે. આ હેતુ માટે, અમે પક્ષીઓ માટે બર્ડહાઉસ અને પિચરનું વિનામૂલ્યે વિતરણ કરીએ છીએ. પીએમ મોદીએ રામ મંદિરનું સ્વપ્ન સાકાર કર્યું છે. તેથી, અમે નિર્માણ કરી રહ્યા છીએ. દિવાળીની ભેટ તરીકે તેના મોડલ. અમને તેના માટે ઓર્ડર પણ મળી રહ્યા છે. અમારી પાસે અત્યાર સુધીમાં 300-400 મોડલના ઓર્ડર મળ્યા છે…”

રામ મંદિર-HUMDEKHENGENEWS

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તારીખ જાહેર
મહત્વનું છે કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આવતા વર્ષે 21, 22 અને 23 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે. ટ્રસ્ટના સભ્યોએ અગાઉ કહ્યું હતું કે, તેઓ આ કાર્યક્રમ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાવાર આમંત્રણ મોકલશે. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે શુક્રવારે ‘પીટીઆઈ-ભાષા’ને જણાવ્યું હતું કે, “રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ આવતા વર્ષે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં યોજાશે. આ માટે 21, 22 અને 23 જાન્યુઆરીની તારીખો નક્કી કરવામાં આવી છે. અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ કાર્યક્રમ માટે આમંત્રિત કરીશું જેમાં અગ્રણી સાધુઓ અને અન્ય મહાનુભાવો હાજરી આપશે.

આ પણ વાંચો : અયોધ્યા રામ મંદિર માટે ભક્તે બનાવ્યું 400 કિલોનું તાળું, પતિ-પત્નીએ મળીને તાળું બનાવ્યું, કિંમત જાણી ચોંકી જશો

Back to top button