વેંકૈયા નાયડુની રાજ્યસભામાંથી વિદાય, પીએમ મોદીએ કહ્યું, ‘તમારી ભૂમિકાઓનો હું સાક્ષી…


ચોમાસુ સત્રનો આજે 16મો દિવસ છે. રાજ્યસભામાં સોમવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનો વિદાય સમારંભ યોજાયો. રાજ્યસભામાં વિદાય આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં ભાષણ આપ્યું હતું.
अगर हमारे पास देश के लिए भावनाएं हों, बात कहने की कला हो, भाषा की विविधता में आस्था हों तो भाषा, क्षेत्र हमारे लिए कभी भी दीवार नहीं बनती हैं ये आपने(एम. वेंकैया नायडू) सिद्ध किया है: राज्यसभा में PM मोदी pic.twitter.com/GqnoAUShN6
— ANI_HindiNews (@AHindinews) August 8, 2022
વેંકૈયા નાયડુની રાજ્યસભામાંથી વિદાય
પીએમ મોદીએ કહ્યું કે આજે આપણે સૌ ગૃહના અધ્યક્ષ અને દેશના ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો થવા પર તેમનો આભાર માનીએ છીએ. ગૃહ માટે આ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. તેમણે કહ્યું કે ભલે આ ગૃહને નેતૃત્વ આપવાની તમારી જવાબદારી પૂરી થઈ રહી છે. પરંતુ અમને ભવિષ્યમાં લાંબા સમય સુધી તમારા અનુભવોનો અમારા જેવા અનેક જાહેર જીવનના કાર્યકરોને લાભ મળતો રહેશે. તેમણે કહ્યું કે એમ વેંકૈયા નાયડુ એવા ઉપરાષ્ટ્રપતિ છે જેમણે હંમેશા પોતાની તમામ ભૂમિકાઓમાં યુવાનો માટે કામ કર્યું છે. યુવા સાંસદોને પણ ગૃહમાં પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
हम इस वर्ष ऐसा 15 अगस्त मना रहे हैं जब स्वतंत्रता के बाद राष्ट्रपति, उपराष्ट्रपति, लोकसभा अध्यक्ष और प्रधानमंत्री सब के सब ऐसे लोग हैं जो आज़ाद भारत में पैदा हुए, और सब के सब बहुत ही साधारण पृष्ठभूमि से आते हैं। ये देश के नए युग का प्रतीक भी है: PM मोदी pic.twitter.com/zUH7IN17xv
— ANI_HindiNews (@AHindinews) August 8, 2022
રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનો વિદાય સમારંભ
પીએમ મોદીએ રાજ્યસભામાં કહ્યું કે, દેશ પોતાના આગામી 25 વર્ષની નવી યાત્રા શરૂ કરવા જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, અમે લોકો લોકતંત્ર વિશે આપની પાસેથી ઘણુ શિખી શકીએ છીએ. આપ દરેક જવાબદારીની પુરી નિષ્ઠાથી નિભાવી શકો છો. નાયડૂજીની વન લાઈનર, વિન લાઈનર હોય છે.