અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ ખાતે “નારી પ્રતિભાનું મેઘ ધનુષ્ય” કાર્યક્રમ યોજાયો હતો, વિવિધ ક્ષેત્રની નારીઓએ તેમના વિચારો કર્યા રજૂ

અમદાવાદ ખાતે 27મી ડિસેમ્બર 2022ના રોજ એ. એમ. એ. માં નારી પ્રતિભાનું મેઘ ધનુષ્ય કાર્યક્રમ યોજાયો હતો. મહર્ષિ એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને મહર્ષિ વેદ વિજ્ઞાન એકેડેમીના ઉપક્રમે “નારી પ્રતિભાનું મેઘ ધનુષ્ય” કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાતી સાહિત્યના લબ્ધ પ્રતિષ્ઠિત લેખિકા અને સર્જક ડો. ધીરુબહેન પટેલે તેમના વિચારો રજૂ કર્યા હતા. આ નારી પ્રતિભાઓની ગોઠડીમાં 96 વર્ષની જૈફ વયે રણકેદાર અવાજમાં સહજતા અને સરળતાથી ધીરુબહેને શ્રોતાઓ સાથે ગોઠડી કરી હતી. તેમજ ગુજરાતના વિવિધ ક્ષેત્રમાંથી અન્ય નારી પ્રતિભાઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.અને તમના વિચારો રજૂ કર્યા હતા.

વિવધ ક્ષેત્રની નારી પ્રતિભાઓ રહ્યા હતા ઉપસ્થિત

આ કાર્યક્રમમાં ધીરુબહેન પટેલની સાથે જાણીતાં અનુવાદક અને લેખિકા ડો. અનિલા દલાલ, શાસ્ત્રીય નૃત્ય ગુરુ રાધા મેનન, માધ્યમ ગુરુ માલતી મહેતા, રંગમંચના જાણીતાં કલાકાર દીપ્તિ જોશી અને ગીત સંગીતના યુવા કલાકાર કિંજલ દવે હાજર રહ્યા હતાં. તેમજ આ કાર્યક્રમમાં પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ. ડો. સુભાષ બ્રહ્મભટ્ટ ઉપરાંત અન્ય મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના આરંભમાં સંસ્થાનો ધ્યેય સ્પષ્ટ કરતા કૃષ્ણચંદ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા નારીની ક્ષમતાઓને પ્રગટ કરવા માટે જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. તેમજ તેમણે મંચસ્થ નારી પ્રતિભાવોનો પરિચય કરાવીને તેમનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

નારી પ્રતિભાનો કાર્યક્રમ-humdekhengenews

ડો. ધીરુબહેન પટેલ

આ કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્યના લબ્ધ પ્રતિષ્ઠિત લેખિકા અને સર્જક ડો. ધીરુબહેન પટેલે આ રીતે પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યુ હતુ કે “આપણે એટલાં ભાગ્યશાળી છીએ કે પ્રભુએ આપણને સદ્ વિચાર, સત્સંગ અને સદ્ કાર્ય કરવાનો મોકો આપ્યો છે. જેને સારા વિચારો આવે અને એ કરી શકે એ સદવૃત્તિ છે. એને ભગવાન શાંતિ, આનંદ અને પ્રસન્નતાની ભેટ આપે છે. જ્યારે જ્યારે કોઈપણ વ્યક્તિ કોઈ સિદ્ધિ મેળવે છે ત્યારે આપણે બધા કંઈક અંશે સમૃદ્ધ થઈએ છીએ અને પ્રસન્નતા પામીએ છીએ”

ડો. અનિલાબહેન દલાલ

ડો. અનિલાબહેન દલાલે પ્રાચીન, અર્વાચીન અને આજની સ્ત્રી શિક્ષણની પરિસ્થિતિનો ચિતાર આપતાં જણાવ્યું હતું કે, “આજે પણ આપણે સ્ત્રી શિક્ષણના ક્ષેત્રે ઘણું કામ કરવાનું બાકી છે. રાધા મેનને પોતે પાંચ વર્ષના હતાં ત્યારથી નૃત્યની તાલીમ શરૂ કરીને આજે પોતે અસંખ્ય વિદ્યાર્થીઓનાં નૃત્ય ગુરુ બન્યાં છે તેની શાબ્દિક સફર સરસ રીતે રજૂ કરી હતી”.

માધ્યમ ગુરુ માલતી મહેતા

આ કાર્યક્રમમાં માધ્યમ ગુરુ માલતી મહેતાએ પોતાની શૈક્ષણિક કાર્કિરિદીથી લઈને આજ સુધીનાં પોતાના કાર્યોની રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે” હું પહેલા પણ વિદ્યાર્થીની હતી અને આજે પણ વિદ્યાર્થી જ છું. મારી શીખવાની અને શીખવાડવાની પ્રક્રિયા સતત ચાલુ છે એનો મને સંતોષ છે”.

નારી પ્રતિભાનો કાર્યક્રમ-humdekhengenews

કલાકાર દીપ્તિ જોશી

જાણીતા અભિનેત્રી અને રંગમંચના પંકાયેલા કલાકાર દીપ્તિ જોશી એ પણ પોતાની અભિનય સફરની કેફિયત રસપ્રદ રીતે રજૂ કરી હતી. સ્ત્રીઓને ઉદેશીને તેઓએ કહ્યું હતું કે, “તમારા પેશનને ઓળખો અને તેની માટે મહેનત કરો. જીવનના અંત સુધી સતત પ્રવૃત્તિ શીલ રહો”.

કિંજલ દવે

કિંજલ દવેએ પોતાની કલા માટે ભગવાનની કૃપા અને પિતાને યાદ કર્યા હતા. નારી પ્રતિભાનુ મેઘ ધનુષ્ય કાર્યક્રમના અંતે મહર્ષિ વેદવિજ્ઞાન એકેડેમીના મેનેજિંગ ટ્રસ્ટી ડો. કાંતિભાઈ મહેતાએ સૌનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે “ભારતીય પરંપરામાં અર્ધનારેશ્વરનો જે ખ્યાલ છે તે સ્ત્રી પુરુષની સમાનતા છે. સંસ્કારની વાત જ બહેનોથી થાય છે. સંસ્કાર સારા આપશો તો સમાજ સારો થશે”. આ કાર્યક્રમ દરમિયાન નેહા ઠક્કરની કવિતા મારી અગાસનું આકાશનો વિડીયો પણ રજૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : BAPS સંસ્થાના ઈશ્વરચરણ સ્વામીએ પીએમ મોદીના માતાના દુ:ખદ નિધન પર સાંત્વના સંદેશ આપ્યો

Back to top button