ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

દેશ કે મન કી બાત! એક ઑક્ટોબરે, એક સાથે, એક કલાક – સ્વચ્છાંજલિ

  • 1 ઓક્ટોબર, 2023ના રોજ સવારે 10 વાગ્યે સ્વચ્છતા માટે 1 કલાક માટે શ્રમદાન કરવા રાષ્ટ્રીય હાકલ

નવી દિલ્હીઃ નવ વર્ષ અગાઉ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં સ્વચ્છતાનું આહ્વાન કર્યું હતું. સમાજના તમામ ક્ષેત્રના નાગરિકોએ સ્વચ્છ ભારત અભિયાનમાં ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો. પરિણામે સ્વચ્છતા રાષ્ટ્રીય વર્તણૂક બની ગઈ અને સ્વચ્છ ભારત મિશન ઘરગથ્થું નામ બની ગયું.

આગામી ગાંધી જયંતિના ભાગરૂપે વડાપ્રધાન દ્વારા દેશના નાગરિકોને એક અનોખો કોલ ટુ એક્શન આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ ‘મન કી બાત’ના 105મા એપિસોડમાં પહેલી ઑક્ટોબરે સવારે 10 વાગ્યે સ્વચ્છતા માટે એક કલાક શ્રમદાન માટે અપીલ કરીને ‘સ્વચ્છાંજલિ’ આપવા હાકલ કરી હતી. સ્વચ્છતા હી સેવાઅભિયાન પર બોલતા તેમણે કહ્યું કે, “1 ઓક્ટોબર એટલે કે રવિવારે સવારે 10 વાગ્યે સ્વચ્છતા પર એક મોટો કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે. તમે પણ સમય કાઢીને સ્વચ્છતા સાથે જોડાયેલા આ અભિયાનમાં મદદ કરો. તમે આ સ્વચ્છતા અભિયાનમાં તમારી શેરી અથવા પડોશમાં અથવા કોઈ ઉદ્યાન, નદી, તળાવ અથવા અન્ય કોઈ જાહેર સ્થળે પણ જોડાઈ શકો છો.”

સ્વચ્છતા અભિયાન-HDNews
સ્વચ્છતા અભિયાન

આ વિશાળ સ્વચ્છતા અભિયાનમાં દરેક ક્ષેત્રના નાગરિકોને બજારની જગ્યાઓ, રેલવે ટ્રેક જળાશયોના પર્યટન સ્થળો, ધાર્મિક સ્થળો વગેરે જેવા જાહેર સ્થળોની વાસ્તવિક પ્રવૃત્તિઓમાં જોડાવા હાકલ કરવામાં આવી છે. દરેક શહેર, ગ્રામ પંચાયત, સરકારના તમામ ક્ષેત્રો જેવા કે નાગરિક ઉડ્ડયન, રેલવે, સૂચના અને પ્રૌદ્યોગિકી વગેરે, સાર્વજનિક સંસ્થાઓ નાગરિકોના નેતૃત્વમાં સ્વચ્છતા કાર્યક્રમોની સુવિધા આપશે. સફાઈ કાર્યક્રમોના આયોજનમાં રસ ધરાવતી એનજીઓ/આરડબલ્યુએ/પ્રાઈવેટ ઓર્ગેનાઈઝેશન વગેરે પણ યુએલબી/જિલ્લા વહીવટીતંત્રને પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. સ્વચ્છતા કાર્યક્રમો વિશેષ પ્લેટફોર્મ સ્વચ્છતા હી સેવા – સિટીઝન પોર્ટલ https://swachhatahiseva.com/ .પર જાહેર માહિતી માટે ઉપલબ્ધ થશે. સ્વચ્છતાના સ્થળે નાગરિકો તસવીરો ક્લિક કરીને પોર્ટલ પર પણ અપલોડ કરી શકે છે. આ પોર્ટલ નાગરિકો, પ્રભાવકોને તેમાં જોડાવા માટે આમંત્રિત કરતા વિભાગનું પણ આયોજન કરે છે.

આ મેગા સ્વચ્છતા અભિયાન 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલનારા સ્વચ્છતા પખવાડિયા– સ્વચ્છતા હી સેવા2023નો ભાગ છે. છેલ્લા ઘણાં વર્ષથી દેશના નાગરિકો જૂની ઇમારતો, જળાશયોની સફાઇ, ઘાટ, પેઇન્ટિંગ દિવાલો, નુક્કડ નાટક, રંગોળી સ્પર્ધાઓ યોજવા જેવી વિવિધ સ્વચ્છતા પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, ત્યારે આ એક નવું જ અભિયાન બની રહેશે.

Back to top button