ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

પંકજ ત્રિપાઠી પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, અભિનેતા તરત જ ગોપાલગંજ જવા રવાના

  • પંકજ ત્રિપાઠીના પિતા બનારસ ત્રિપાઠીનું 98 વર્ષની વયે નિધન થયું છે. તેઓ વય સંબંધિત બિમારીઓથી પીડાતા હતા.

‘OMG 2’ એક્ટર પંકજ ત્રિપાઠીના પિતા બનારસ ત્રિપાઠીનું નિધન થયું છે. તેઓ 98 વર્ષના હતા. પિતાના અવસાનથી અભિનેતાને ઘેરો આઘાત લાગ્યો છે અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પંકજના પિતા બનારસ ત્રિપાઠીનું બિહારના તેમના મૂળ ગામ બાલસંદમાં નિધન થયું હતું. પંકજ ત્રિપાઠીના પિતા વય સંબંધિત બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. હાલમાં, અભિનેતાના પિતાના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પંકજ ત્રિપાઠી તેમના પિતાના મૃત્યુના સમાચાર મળતા જ ગોપાલગંજ માટે રવાના થઈ ગયા છે.

પિતાના અવસાન બાદ પંકજ ત્રિપાઠી ગોપાલગંજ જવા રવાના:

પંકજ ત્રિપાઠી અને તેના પરિવારે અભિનેતાના પિતાના મૃત્યુને લઈને સત્તાવાર નિવેદન પણ બહાર પાડ્યું છે. નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, “ભારે હૃદય સાથે અમે પુષ્ટિ કરવી છે કે પંકજ ત્રિપાઠીના પિતા પંડિત બનારસ તિવારી હવે નથી રહ્યા. તેઓ 99 વર્ષનું સ્વસ્થ જીવન જીવ્યા. તેમના અંતિમ સંસ્કાર આજે તેમના નજીકના પરિવારની હાજરીમાં કરવામાં આવશે. પંકજ ત્રિપાઠી આ સમયે ગોપાલગંજ સ્થિત પોતાના ગામ જઈ રહ્યા છે.

આપને જણાવી દઈએ કે પંકજના માતા-પિતા બિહારમાં રહેતા હતા, જ્યારે પંકજ તેની પત્ની અને પુત્રી સાથે મુંબઈમાં રહે છે. પંકજ ત્રિપાઠી તેના પિતાની ખૂબ નજીક હતા. આવી સ્થિતિમાં, પિતાનો પડછાયો તેના માથા પરથી ઉઠવાને કારણે અભિનેતા ખૂબ જ અસ્વસ્થ છે. જણાવી દઈએ કે પંકજ ત્રિપાઠી બિહારના ગોપાલગંજના રહેવાસી છે. તે અભિનયમાં કારકિર્દી બનાવવા સપનાના શહેર મુંબઈ આવ્યા હતા, જોકે તેના માતા-પિતા હજુ ગામમાં રહેતા હતા. અહેવાલો અનુસાર, અભિનેતાના પિતાના અંતિમ સંસ્કાર તેમના ગામમાં જ કરવામાં આવશે.

પંકજ ત્રિપાઠીના પિતાને મુંબઈની ભાગદોડભરી જિંદગી ન ગમતી:

પંકજત્રિપાઠીએ પોતાના ઈન્ટરવ્યુમાં ઘણીવાર તેના પિતાનો ઉલ્લેખ કર્યો હતો અને તેની સાથે વિતાવેલી સુંદર પળો પણ શેર કરી હતી. એક ઇન્ટરવ્યુ દરમિયાન, અભિનેતાએ ખુલાસો કર્યો કે તેના પિતાને ખબર નથી કે તે ફિલ્મ ઉદ્યોગમાં શું કરે છે. અભિનેતાએ ખુલાસો કર્યો હતો કે તેના પિતા માત્ર એક જ વાર મુંબઈ આવ્યા હતા પરંતુ મુંબઈની ભાગદોડ વાળી જિંદગી તેમને પસંદ ન હોવાથી અહીં રહી શક્યા નહોતા. તેથી તે ગામમાં પાછા ગયા અને પછી તે ત્યાં જ રહેતા હતા.

આ પણ વાંચો: શું ખરેખર સની દેઓલના બંગલાની હરાજી થશે? બેંકની નોટિસ પર અભિનેતાએ …

Back to top button