ગુજરાત

લગ્નની લાલચ આપી સગીર વયની વિદ્યાર્થિનીને વિધર્મીએ ફસાવી, અપહરણ કરી ઘરમાં ગોંધી રાખી બે દિવસ સુધી કર્યો બળાત્કાર

Text To Speech

વડોદરામાં વધુ એક લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. મળતી વિગત મુજબ વિધર્મી યુવકે સોશ્યલ મીડિયા પર સગીર હિન્દુ વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી હતી જે બાદ તેનું અપહરણ કરીને બે દિવસ સુધી ઘરમાં ગોંધી રાખી બળાત્કાર કર્યો હતો. ત્યારે બળાત્કાર ગુજારનાર યુવક અને તેના માતા-પિતા સામે જવાહરનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સગીર હિન્દુ વિદ્યાર્થિની સાથે એક કુટુંબીજન મારફતે પરિચય થયા બાદ ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતા ફરદીન ફિરોજ સિંધાએ તેની સાથે સોશ્યલ મીડિયા પર સંપર્ક કર્યો હતો.વિદ્યાર્થિની સાથે સામાન્ય વાતચીત બાદ તેને પ્રેમજાળમાં ફસાવી હતી.

માર્ચ મહિનામાં સગીર વિદ્યાર્થિનીને બહાર લઇ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો.ત્યારબાદ બે દિવસ પહેલાં સાંજે પીડિતાનું તેના ઘેરથી અપહરણ કર્યું હતું.જેથી વિદ્યાર્થિનીના ઉચ્ચ શિક્ષિત પિતાએ પોલીસને જાણ કરી હતી.

જવાહરનગરના ઇન્ચાર્જ પીઆઇ એસ એસ આનંદે તપાસ કરતાં વિદ્યાર્થિની યુવકને ઘેર હોવાની વિગતો જાણવા મળી હતી.જેથી પોલીસે ફરદિનને ત્યાંથી પીડિતાને છોડાવી હતી.પીડિતાને લગ્નની લાલચ આપી ફરદિન પોતાને ત્યાં લઇ ગયો હોવાની વિગતો ખૂલતાં પોલીસે ફરદિન તેમજ સગીર વયની કન્યાને ઘરમાં રાખનાર તેના પિતા ફિરોજ સિંધા અને માતા સલમા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Back to top button