ગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

19મીએ નડિયાદમાં રોજગાર ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિર યોજાશે

Text To Speech
  • જિલ્લા રોજગાર વિનિમય કચેરી, નડિયાદ દ્વારા તા.૧૯-૧૦-૨૦૨૩ના રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી નડિયાદ ખાતે રોજગાર ભરતીમેળા તેમજ સ્વરોજગાર શિબિર યોજાશે.

રોજગાર ભરતીમેળો: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, નડિયાદ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૧૯-૧૦-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એ-બ્લોક, બીજો માળ, સરદાર પટેલ ભવન, મિલ રોડ, નડિયાદ ખાતે રોજગાર ભરતીમેળા તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

રોજગાર ભરતીમેળામાં ખેડા જિલ્લાના તેમજ જિલ્લા બહારના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની ઉમરના ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ-ફિટર, ટર્નર, વેલ્ડર, મશીનિસ્ટ, બી.એસ.સી (કેમેસ્ટ્રી, માઈક્રો બાયોલોજી) પાસ થયેલ ફક્ત સશક્ત પુરૂષ ઉમેદવારો ભાગ લઇ શકશે.

  • ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે.

આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇડી JF668164144 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ખેડા જિલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે.

આ પણ વાંચો: અમદાવાદની રિઝર્વ બેન્કની બ્રાન્ચ પર રૂ.2 હજારની નોટો બદલાવવા હજુ પણ લાંબી લાઈનો, વચેટિયા મલાઈ ખાઈ રહ્યા છે?

Back to top button