ગુજરાત

દાંતામાં વહેલી સવારે પાર્લરમાં લાગી આગ, જાનહાની ટળી

Text To Speech

પાલનપુરથી અંબાજી જતાં દાંતા હાઇવે પર આવેલા પાર્લરમાં વહેલી સવારે એકાએક આગની ઘટના બની હતી. અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની ઘટનામાં  દુકાનમાં પડેલો તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ અંબાજી ફાયર ટીમને કરાતા ટીમ દાંતા દોડી આવી હતી અને આગને બુઝાવવા પાણીનો મારો ચલાવ્યો હતો. જ્યારે વહેલી સવારે આગ લાગતા પાર્લરમાં કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી. આગ શોર્ટસસર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન થઇ રહ્યું છે.

 

Back to top button