સીએમ કેજરીવાલને મોટો ફટકો, કોર્ટે જામીન અરજી ફગાવી, જાણો કોર્ટે શું કહ્યું?


દિલ્હી, 05 જૂન: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને રાઉસ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. કેજરીવાલે તેમની તબિયતને ટાંકીને સાત દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા. કોર્ટે આ અરજીને ફગાવી દીધી અને કહ્યું કે, ‘જેલ પ્રશાસને કેજરીવાલની બીમારી સંબંધિત તપાસ કરાવે. આ રીતે કોઈને જામીન આપવામાં આવતા નથી.’
કેજરીવાલના વચગાળાના જામીનનો વિરોધ કરતા EDએ કહ્યું હતું કે કેજરીવાલ કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે. EDનો આરોપ છે કે સતત પ્રચાર કરી રહેલા કેજરીવાલની તબિયત જ્યારે આત્મસમર્પણ કરવાનો સમય આવ્યો ત્યારે જ કેમ બગડી હતી.
અરવિંદ કેજરીવાલની કયા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી?
આમ આદમી પાર્ટીના નેતાઓ પર દિલ્હી લિકર પોલિસી દ્વારા કેટલાક લોકોને ફાયદો પહોંચાડવાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. આ નેતાઓમાં મુખ્યમંત્રી કેજરીવાલ અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનું નામ પણ સામેલ છે. કેજરીવાલની આ કેસમાં 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ હાલમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.
આ પણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં હારની જવાબદારી સ્વીકારી! Dy.CM પદેથી મુક્ત થવા માંગ કરી