ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જયપુર : શ્રદ્ધા મર્ડર કેસથી પ્રેરિત થઈને ભત્રીજાએ કાકીની હત્યા કરી લાશના કર્યા 10 ટૂકડા !

દેશમાં હજી શ્રદ્ધા મર્ડર કેસના પડઘા શાંત થયા નથી, ત્યાં બીજી તરફ રાજસ્થાનના પાટનગર જયપુરમાં શ્રદ્ધા મર્ડર કેસ જેવા જ એક મામલો સામે આવતા સૌ કોઈ હેરાન થઈ ગયા છે. ગુલાબી શહેર જયપુરમાં એક વૃદ્ધ મહિલાની ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં હત્યારાએ શ્રદ્ધા મર્ડર કેસ જેવી જ પેટર્ન અપનાવી હોવાનો ખુલાસો થતા દેશભરમાં ચકચાર મચી ગયો છે. આ કેસમાં હત્યારા ભત્રીજાએ તેની જ કાકીની હત્યા કરી લાશનાં 10 ટૂકડા કર્યા હતા. હત્યાનો ભોગ બનેલી મહિલા કેન્સર પીડિત હોવાનું પણ સામે આવ્યુ છે.

આ પણ વાંચો : કોરોના બાદ હવે રાજ્યમાં આ રોગ મચાવી રહ્યો છે હાહાકાર ! જાણો શું છે તેનાં લક્ષણો ?

શું છે સમગ્ર ઘટના ?

હકીકતમાં રાજસ્થાનના જયપુરમાં બનેલી આ ઘટના છે. જેમાં ભત્રીજાએ કાકીની હત્યા કરી તેની લાશના 10 ટુકડા કર્યા હતા. ત્યારબાદ આ ટુકડાઓને દિલ્હીના જંગલોમાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ મહિલાનું નામ સરોજ છે. સરોજની હત્યા કેસમાં પોલીસે જ આ વાતનો ખુલાસો કર્યો છે અને આરોપીની ધરપકડ કરી, મૃતદેહના ટુકડા પણ કબજે કર્યા છે.

Jaipur Murder Case - Hum Dekhenge News
આરોપી અનુજ અને તેની કાકી સરોજ દેવી

જયપુર નોર્થ ડેપ્યુટી કમિશનર પેરિસ દેશમુખે જણાવ્યું હતું કે, આ મામલામાં સરોજ દેવીની પુત્રીઓ પૂજા શર્મા અને મોનિકાએ તેમની માતા સરોજ શર્મા (ઉ.વ.65 વર્ષ) બપોરે 2-3 વાગ્યે મંદિરે જવાનું કહીને ઘરેથી નીકળી હતી. હજુ ઘરે પરત ફર્યા નથી, તેવી ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ બંને પુત્રીઓએ પૂજા શર્મા (38) અને મોનિકાએ 16 ડિસેમ્બરે તેમની માતાની હત્યાનો કેસ નોંધાવ્યો હતો. તેણે તેના પિતરાઈ ભાઈ અનુજ શર્મા પર હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. પોલીસે અનુજની ધરપકડ કરી છે.

માથા પર હથોડી મારી કરી હત્યા, લાશના કર્યા 10 ટૂકડા

ત્યારબાદ આરોપી અનુજની ધરપકડ કરતાં તેણે તેની કાકીને માથા પર હથોડી વડે માર્યાની કબૂલાત કરી હતી. આરોપીનું કહેવું છે કે 11 ડિસેમ્બરે બપોરે તેની કાકી સરોજેએ તેને બહાર જતો અટકાવ્યો, જેને લઈને તેને ગુસ્સે આવ્યો હતો અને આવેશમાં આવીને તેના માથા પર હથોડી વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ તેને શ્રદ્ધા મર્ડર કેસ જોઈને તેના મનમાં તેના મૃતદેહના ટુકડાનો નિકાલ કરવાનો વિચાર આવ્યો હતો, તેવી કબૂલાત પણ કરી છે. તેથી તેણે મૃતદેહના ટુકડા કરવા માટે એક દુકાનમાંથી એક સ્ટોન કટર ખરીદ્યું હતું. ત્યાર બાદ મૃતદેહને બાથરૂમમાં લઈ જઈને તેના અનેક ટુકડા કર્યા અને આ ટુકડા તેને એક સૂટકેસ અને ડોલમાં ભરીને કારમાં લઈ જઈ દિલ્હી રોડ પર જંગલ સહિત અનેક જગ્યાએ ફેંકી દીધા હતાં.

Jaipur Murder Case - Hum Dekhenge News
આરોપી અનુજની ધરપકડ

કાકી દ્વારા કરવામાં આવતી રોકટોકથી પરેશાન હતો યુવક

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોપી ‘હરે કૃષ્ણ મૂવમેંટ’સાથે સંકળાયેલો છે. તેમણે આરોપી યુવકની પૂછપરછના આધારે જણાવ્યું હતું કે, તાઈની હત્યા બાદ તે તેની કાકી દ્વારા કરવામાં આવતી રોકટોકથી પરેશાન હતો, તેથી હત્યા કરી હોવાનું પણ તેણે સ્વીકાર્યું છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ સાથે જ બનાવમાં વપરાયેલ હથોડી, કટર મશીન, ડોલ, સૂટકેસ અને અન્ય વસ્તુઓ પણ કબજે કરી હતી. આ મામલે હજી વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Back to top button