નેશનલ

તેલંગણા : ઘરમાં ફાટી નીકળેલી ભીષણ આગમાં બે બાળકો સહીત 6 લોકો જીવતા સળગ્યા

Text To Speech

તેલંગણા : તેલંગણાના મંચેરિયલમાંથી એક મકાનમાં ભીષણ આગ લાગી હતી.જેમાં એક પરિવારમાં 6 લોકો જીવતા સળગીને ભડથુ થઇ ગયા હતા.આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોચી હતી.

આખું ઘર આગમાં બળીને ખાખ થઇ ગયુ 

તેલંગણાના મંચેરિયલમાંથી એક મકાનમાં બપોરના લગભગ 12:00 થી 12:40 ની વચે પાડોશીઓએ ઘરમાંથી જ્વાળાઓ નીકળતા જોઈને તરતજ ગામલોકોને જાણ કરી હતી.અને ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી..

પોલીસે ઘટના સ્થળ પર પહોચી તપાસ હાથ ધરીને તેમણે જણાવ્યું કે અમે પહોંચ્યા ત્યાં સુધીમાં આખું ઘર આગમાં બળીને ખાખ થઇ ગયુ હતું અને તમામ 6 લોકો જીવતા બળી ગયા હતા. મળતી માહિતી મુજબ ઘરમાં હાજર કુલ 6 સભ્યોના મોત થયા છે. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

ઘર કાટમાળ માં ફેરવાયું 

આ આગમાં પરિવારના 6 સભ્યોથી બે બાળકો પણ સામેલ છે.અને પરિવારના તમામ સભ્યો બળીને ખાક  થઇ ગયાં હતી.અને આગ એટલી ભયાનક હતી કે ઘર કાટમાળમાં ફેરવાઈ ગયું હતું.

અને વધુમાં મંદામરી સર્કલના પોલીસ ઈન્સ્પેક્ટર પ્રમોદ કુમારે જણાવ્યું કે શિવાય તેની પત્ની પદ્મા મંદામરી મંડલ સાથે વેંકટપુરમાં તેમના ઘરે રહેતો હતો.અને બે દિવસ પહેલા પદ્માની ભત્રીજી મૌનિકા બે પુત્રીઓ અને શાંતૈયા નામની મહિલા સાથે આવી હતી અને તે જ ઘરમાં રહેતી હતી.

આ પણ વાંચો : રાજસ્થાનમાં પોલીસે પકડેલ બળાત્કારનો આરોપી પુરુષ નહિ પણ મહિલા નીકળી

Back to top button