ટોપ ન્યૂઝનેશનલ

બીજેપી નેતા શુભેંદુ અધિકારીના કાર્યક્રમમાં નાસભાગ, 3ના મોત

Text To Speech

બુધવારે પશ્ચિમ બંગાળના આસનસોલમાં ભાજપના નેતા અને વિપક્ષના નેતા શુભેંદુ અધિકારીના ધાબળા વિતરણ કાર્યક્રમ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા હતા. નાસભાગની ઘટનામાં 5 લોકો ઘાયલ પણ થયા છે. તમામને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાંથી શુભેન્દુ અધિકારી ગયા બાદ ધાબળો લેવા માટે એકઠી થયેલી ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. પોલીસ કમિશનરે દાવો કર્યો હતો કે કાર્યક્રમ માટે કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી.

આ પણ વાંચો : ચીન સાથે વધતા વેપાર પર સરકારે સંસદમાં શું કહ્યું? આંકડાઓને લઈને કોંગ્રેસે સરકારને ઘેરી

Back to top button