ચૂંટણી 2022દક્ષિણ ગુજરાત

સત્તા ગુમાવ્યા બાદ છોટુ વસાવાએ જાણો શું કહ્યું ?

ગઇ કાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં વિધાનસભાની 182 બેઠકો પરથી 156 સીટ પર ભાજપે વિજય પતાકા લહેરાવી દીધો છે. જ્યારે કોંગ્રેસ 17 બેઠક અને AAPએ 5 બેઠક પરથી જીત હાંસલ કરી હતી. ત્યારે ભરુચ જિલ્લાની ઝઘડિયા બેઠક પરથી ઉભેલા આદિવાસી સમુદાયના સૌથી મોટા નેતા છોટુ વાસવાની પણ આ વખતે હાર થઇ છે. આદિવાસી ઝઘડિયા બેઠક પરથી હાર્યા બાદ છોટુ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે.

ઝઘડિયા બેઠક પર ભાજપે મેળવી જીત

ભરૂચ જિલ્લાની આદિવાસી ઝઘડિયા બેઠક ઉપર પર ઉભેલા છોટું વસાવાની હાર થઇ છે. જેની સામે ભાજપના રીતેશ વસાવા જીતી ગયા છે. ત્યારે છોટું વસાવાને ખુબ મોટું નુકશાન થયું છે. છેલ્લા 35 વર્ષથી એક હથ્થુ શાસન કર્યા બાદ આજે પરાજય મળતા પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ પ્રતિક્રિયા આપી છે. ગઢ ગુમાવ્યા બાદ આદિવાસી નેતા છોટુભાઈ વસાવાએ EVM મશીન પર હારનું ઠીકરું ફોડયું છે. જેમાં તેમણે ગુજરાતમાં આવેલા ચૂંટણીના પરિણામ પહેલેથી જ નક્કી હોવાનું કહ્યું છે.

છોટુ વસાવા- humdekhengenewsછોટુ વસાવાએ EVM મશીન પર હારનું ઠીકરું ફોડયું

તેઓ એ કહ્યું હતું કે, “હું તો કહ્યા જ કરતો EVMમાં સેટિંગ કરીને હરાવશે. લોકોએ હવે સમજી લેવા જેવું ઇવીએમનો વિરોધ કરવો જોઈએ. તો જ આ દેશ બચવાનો છે. SC, ST, OBC, માઈનોરિટી આ દેશના 85 ટકા લોકો છે. જેઓ આ ઇવીએમનો વિરોધ કરી બેલેટ પેપરથી ચૂંટણી થાય તો જ કંઈક આ દશની અંદર આ લોકોની પ્રગતિ થશે. બાકી આજે 15 ટકા લોકો છે જે શેઠજી આ દેશમાં બની બેઠા છે. જેણે દેશને લૂંટયો હોવાનો આક્ષેપ છોટુભાઈએ કર્યો છે. એવા લોકોને હંમેશા રાજ કરવા માટે જ ઇવીએમનો પ્રયોગ થતો હોવાની વાત કરી છે. લોકશાહી જેવો દેશ હોય તો ડરી શાનાથી રહ્યા છે. બેલેટ પેપરથી ચૂંટણી કેમ નથી કરાવતા તેઓ પણ સવાલ કર્યો છે. વધુમાં પ્રધાનમંત્રીનું નામ લઈ તેમણે કહ્યું હતું કે, ભાઈ નરેન્દ્રભાઈ તમે આ બધું છોડી દેજો. દેશના આ 85 ટકા લોકો તમને નહિ ગમતા હોય તો તેમને ગોળી મારી દો, પણ આ રીતે રિબાવવાનું બંધ કરો. અંતે છોટુભાઈ વસાવાએ દેશના SC, ST, OBC, માઈનોરિટીને નાસીપાસ નહિ થવા અને 2024 ની લોકસભા ચૂંટણી આવતી જ હોય બેલેટ પેપરથી ચૂંટણીની માંગ કરવા અનુરોધ કર્યો છે. ગુજરાતમાં ભાજપની આ જીતને તેઓએ EVM અને રૂપિયાની તાકાત પણ ગણાવી હતી.

આ પણ વાંચો :હિમાચલ પ્રદેશના ઇતિહાસમાં પહેલી વાર 0. 9 ટકા વોટ શેર સાથે ભાજપની હાર, જાણો ચૂંટણી પરિણામનું આંકડાકીય વિશ્લેષણ

ઝઘડિયા બેઠક છોટુભાઈ વસાવાના દબદબો

અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા બેઠક પર સતત 7 ટર્મથી એટલે કે 1990થી છોટુભાઈ વસાવા જીતતા આવ્યા છે. દબંગ નેતાની છાપ ધરાવતા છોટુ વસાવા પહેલા જનતા દળની ટિકિટ પરથી ચૂંટણી લડતા હતા. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા છોટુ વસાવાએ અચાનક જનતા દળમાંથી પોતાનો છેડો ફાડી લીધો હતો. ત્યારબાદ તેમણે ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ની રચના કરી હતી અને 2017ની ચૂંટણી BTPમાંથી લડ્યા હતા અને જીત્યા હતા. ત્યારે 2022ની ચૂંટણીમાં તેમનું નામ ગઢની બહાર ગયું છે અને તેમને ટક્કર આપવાવાળી પાર્ટી બીજી કોઇ નહીં પરંતુ ભાજપ જ છે. 2020માં BTPએ ઔવેસી સાથે ગઠબંધન રચ્યું હતું જે 2022 સુધી રહ્યું.

Back to top button