ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

એક્ઝિટ પોલમાં જનતાએ મિજાજ આપ્યો, ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બને તો મુખ્યમંત્રી બદલાશે!

Text To Speech

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું બન્ને તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. જેમાં એક્ઝિટ પોલ આવવાના શરૂ થઇ ગયા હતા. તેમજ વિવિધ મીડિયા દ્વારા સર્વે પણ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ઈન્ડિયા ટુડે એક્સિસના એક્ઝિટ પોલના સર્વેમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક સીટો સાથે ફરીથી ભાજપની જ સરકાર બનતા દેખાઈ રહી છે. ગુજરાતમાં ઈન્ડિયા ટુડે એક્સિસના એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને 131થી 151 બેઠક મળી શકે છે તેવું દર્શાવાયું છે. એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસને 16થી 30 બેઠકો મળી શકે છે. જ્યારે આમ આદમી પાર્ટી માટેને 9થી 21 બેઠકો મળી શકે છે.

આ પણ વાંચો: ભાજપ-કોંગ્રેસના 21 નેતાઓ પર પક્ષની લાલઆંખ, રિપોર્ટ આવતા થશે “ઘરભેગા”

ભૂપેન્દ્ર પટેલ નહીં પરંતુ અન્ય કોઈને મુખ્યમંત્રી બનાવો

એક્ઝિટ પોલમાં ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનવા જોઈએ તેવો સવાલ પણ પૂછવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગના લોકો ભૂપેન્દ્ર પટેલ નહીં પરંતુ ભાજપમાંથી અન્ય કોઈ વ્યક્તિને મુખ્યમંત્રી બને તેમ જણાવ્યું હતું. એક્ઝિટ પોલ મુજબ, 27 ટકા લોકોએ એવી ઈચ્છા દર્શાવી હતી કે ભાજપમાંથી અન્ય કોઈ ઉમેદવાર મુખ્યમંત્રી બને, જ્યારે 19 ટકા લોકોએ ભૂપેન્દ્ર પટેલને જ ફરી મુખ્યમંત્રી બનાવવાની વાતનું સમર્થન કર્યું હતું.

આ પણ વાંચો: મતદાન પૂરું થતાની સાથે જ ભાજપે મતગતરી પર વોચ રાખવા ટ્રેનિંગ સેશન શરૂ કર્યું

અમિત ચાવડાને મુખ્યમંત્રી બનાવવાની ઈચ્છા દર્શાવી

કોંગ્રેસની સરકાર બને તો કોને મુખ્યમંત્રી બનાવવા તે વિશે પણ પૂછવામાં આવ્યું હતું, જેમાં 22 ટકા લોકોએ કોઈપણ ઉમેદવારને મુખ્યમંત્રી બનાવવાની ઈચ્છા દર્શાવી જ્યારે 2 ટકાએ જગદીશ ઠાકોર અને 1 ટકા લોકોએ જિગ્નેશ મેવાણી તથા અમિત ચાવડાને મુખ્યમંત્રી બનાવવાની ઈચ્છા દર્શાવી હતી. જ્યારે AAPની સરકાર બને તો 5 ટકા લોકોએ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી બનાવવા, 15 ટકાએ કોઈપણ ઉમેદવારને મુખ્યમંત્રી બનાવવા જોઈએ તેમ જણાવ્યું હતું.

Back to top button