ટ્રેન્ડિંગમનોરંજન

શું રાખ્યું દાદી નીતુ સિંહે પૌત્રીનું નામ ?પોસ્ટ કરી જણાવ્યો નામનો અર્થ

Text To Speech
  • આલીયા ભટ્ટે ઈન્સટાગ્રામ પર પોસ્ટ કરી નામ જાહેર કર્યું
  • આમીયા-રણવીરે રાજકુમારીનું નામ કર્યું જાહેર
  • રણવીર-આલીયાએ પોતાની દીકરીનું નામ ‘રાહા કપૂર’ રાખ્યું

આલિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી તેની બાળકીનું નામ જાહેર કર્યું. આ સાથે જ તેને તેનો પ્રથમ ફોટો પણ શેર કર્યો છે. આલિયાએ પોસ્ટમાં લખ્યું છે કે, તેની બાળકીનું આ સુંદર નામ અન્ય કોઈ નહિ પરંતુ તેની દાદી નીતુ કપૂરે રાખ્યું છે.

તેમજ આલિયાએ પોતાના એકાઉન્ટ પર પુત્રીના નામનો અર્થ સમજાવતા લખ્યું છે કે, રાહાનો અર્થ જોય એટલે કે ખુશી થાય છે. આ ઉપરાંત રાહા એક ગૌત્ર પણ છે. આલિયા ભટ્ટે 6 નવેમ્બરના રોજ બાળકીને જન્મ આપ્યો હતો. અને આજે આલીયાએ ઈન્સટાગ્રામ પર પોસ્ટ કરી તેની પુત્રીના નામની જાહેરાત કરી છે. જેમાં આલીયાએ તેની પુત્રીના નામનો અર્થ સમજાવ્યો છે. સંસ્કૃતમાં રાહા એક ગૌત્ર છે. જયારે બાંગ્લાદેશમાં તેનો અર્થ આરામ અને રાહત થાય છે.

શું રાખ્યું દાદી નીતુ સિંહે પૌત્રીનું નામ ?પોસ્ટ કરી જણાવ્યો નામનો અર્થ - humdekhengenews

સેલીબ્રીટીઓએ પણ વરસાવ્યો પ્રેમ

આલિયાની આ પોસ્ટ પર ઈન્ડસ્ટ્રીના મિત્રોએ ઘણો પ્રેમ વરસાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન આ વર્ષે 14 એપ્રિલે થયા હતા. લગ્નના લગભગ 2 મહિના પછી આલિયાએ સોશિયલ મીડિયા પર માતા બનવાના સારા સમાચાર શેર કર્યા હતા. હવે 7 નવેમ્બરના રોજ આલિયાએ પુત્રીને જન્મ આપ્યો છે. ત્યારથી ચાહકો એ જાણવા ઉત્સુક હતા કે આલિયા અને રણબીર તેમની દીકરીનું નામ શું રાખશે.

આ પણ વાંચો : Yes Bankના ભૂતપૂર્વ CEO રાણા કપૂરને રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મંજૂર

અમારી જિંદગી હમણાં જ શરૂ થઈ છે.

આ સાથે આલિયાએ પોસ્ટમાં લખ્યું છે કે, ‘રાહા, અમારા પરિવારમાં જીવન ભરવા માટે આભાર. જાણે અમારી લાઈફ બસ શરૂ થઈ હોય એવું લાગે છે

Back to top button