ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : થરાદના ભડોદર પાસેથી કેનાલમાંથી બે લાશ મળી આવતા ચકચાર

Text To Speech

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલ સુસાઇડ પોઇન્ટ બની રહી છે. અહીંના ભડોદર કેનાલ પાસેથી સોમવારે એક પરણિત યુવતી અને યુવકની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.

થરાદ પંથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી સોમવારે બે લાશ મળી આવી છે. આ બે વ્યક્તિઓની ભડોદર ગામે આવેલ પુલ પાસેથી બે લાશ મળી હતી. આ ઘટના ના સમાચાર મળતા જ આજુબાજુથી મોટી સંખ્યામાં લોકો કેનાલ ઉપર એકઠા થઈ ગયા હતા.

 કેનાલ-humdekhengenews

આ અંગેની જાણ કરાતાં તરવૈયાની મદદથી બે કલાકની જહેમત બંને લાશ બહાર કાઢવામાં આવી હતી.જોકે મળી આવનાર લાશની ઓળખ કરતા મીઠાવી ચારણ ગામના યુવક-યુવતી હોવાનું જાણવા મળ્યું હતું.

જેમાં યુવકનું નામ વાલડીયા અરવિંદભાઈ મોહનભાઈ તેમજ યુવતીનું નામ પારેગી મીરાબેન માસગભાઈ હતું. જે બે સંતાનોની માતા હોવાનું જાણવા મળ્યું હતું.જ્યારે બંને નાં હાથ સાથે બાંધેલ હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને પંથકમાં ચર્ચા જાગી છે.

આ પણ વાંચો : મોરબી દુર્ઘટના અંગે સુપ્રીમ કોર્ટે જાણો શું કહ્યું ? હાઇકોર્ટને પણ આપ્યો ખાસ આદેશ

Back to top button