ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : મુંબઈના દાતાએ અંબાજી મંદિરમાં રૂ. 23.67 લાખનું 454 ગ્રામ સોનું આપ્યું ભેટ

Text To Speech

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે હજારો યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. ત્યારે અનેક દાતા માતાજીના ચરણો માં વિવિધ ભેટ ધરે છે. જેમાં કેટલાક માઈ ભક્તો સોનાનું દાન પણ કરતા હોય છે. ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી મંદિર ખાતે આજે મુંબઈના એક દાતાએ રૂ. 23,67,000 ની કિંમતનું 454 ગ્રામ સોનું માતાજીના ચરણોમાં ભેટ આપ્યું હતું.

અંબાજી મંદિરને સોનાનું બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે દાતાઓ દ્વારા સોનું દાન કરીને આ કામગીરીને આગળ ધપાવવામાં આવી રહી છે. અંબાજી માતાજી માં અનન્ય શ્રધ્ધા ધરાવતા માઈભક્તો આ કાર્યને વેગવંતુ બનાવવા ગુજરાત, રાજસ્થાન અને દેશ વિદેશમાંથી આવતા માઈભક્તો પોતાનું યોગદાન આપી રહ્યા છે.

 

આ પણ વાંચો : AAP સામે કોંગ્રેસ-ભાજપ સાથે? કેજરીવાલે પોતાને ભાજપનો મુખ્ય ચેલેન્જર ગણાવ્યો

Back to top button