ગુજરાત

આણંદ-તારાપુર ચોકડી પર ગમખ્વાર અકસ્માત, ટ્રકે 8 લોકોને મારી ટક્કર, 3ના મોત

Text To Speech

રાજ્યમાં અકસ્માતોની ઘટનામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. બેફામ ઝડપ અને બેજવાદારીભર્યા ડ્રાઈવિંગના પગલે અવાર નવાર અકસ્માત સર્જાય છે. જેમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે. હાલમાં જ આણંદના તારાપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર ગત મોડી રાત્રે આણંદની તારાપુર મોટી ચોકડી પર ટાઇલ્સ ભરેલી ટ્રક પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો.

આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે અને પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં બે બાળકો અને એક વૃદ્ધનું મોત નિપજ્યા છે. તારાપુરની મોટી ચોકડી પર ગત રાત્રે માતેલા સાંઢની માફક આવી ચડેલા ટ્રકે આઠ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ ટ્રક ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો અમરેલી જિલ્લાના રાજુલાના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માત રાત્રીના અઢી વાગ્યાની આસપાસ થયો હોવાનું સામે આવ્યુ છે. તારાપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ગુજરાત ચૂંટણી: અમિત શાહની હાજરીમાં જેપી નડ્ડાના ઘરે મંથન, આજે સાંજે CECની બેઠક, ઉમેદવારો પર આખરી મહોર

Back to top button